Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથથી દ્વારકા જતી બસ પલટી, 1 નુ મોત

Webdunia
શનિવાર, 9 માર્ચ 2024 (11:32 IST)
- બસ બરડીયા ગામ પાસે પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો
- ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા
- રાત્રિનાં 3 થી 4 વાગ્યાની આસપાસ બસ પલટી ગઇ
 
દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા દર્શનાર્થીઓથી ભરેલી બસ બરડીયા ગામ પાસે પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં  8 જેટલા લોકોને ઇજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ  108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માતમાં  1 યુવકનું  મોત થયું છે જ્યારે 2 દર્દીને હાલત વધુ ગંભીર હોવાથી  સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા છે.
 
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ એ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહેવાલો મુજબ આ માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 ની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા છે.
 
મળતી માહિતી મુજબ, વડોદરા અને ભરૂચનાં દર્શનાર્થીઓ ખાનગી બસમાં દ્વારકા અને સોમનાથના પ્રવાસે નીકળ્યા હતા. બસ સોમનાથ થી દ્વારકા તરફ જઈ રહી હતી. ત્યારે રાત્રિનાં 3 થી 4 વાગ્યાની આસપાસ બસ પલટી ગઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments