Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં પેટ્રોલ પંપ પાસે જ 70 લાખની BMW કાર સળગી, બે લોકોનો આબાદ બચાવ

Webdunia
શનિવાર, 8 જૂન 2024 (18:08 IST)
ગુજરાતમાં ગરમીને કારણે રસ્તા પર દોડતા વાહનોમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. સીએનજી અને ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહી છે. ત્યારે અમદાવાદના શાહીબાગમાં એક કાર અચાનક સળગી ઉઠી હતી. જેમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં આગ લાગતાં રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં. 
A BMW car worth 70 lakhs caught fire near a petrol pump in Ahmedabad
કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ પાસે એચપી પેટ્રોલ પંપની સામે BMW કાર અચાનક સળગી હતી. 70થી 80 લાખની કિંમતની આ કારમાં આગ લાગતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં. કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલક કારમાં ડિઝલ ભરાવતા  હતાં ત્યારે બોનેટમાંથી ધુમાડા નિકળ્યા હતાં. પેટ્રોલ પંપના કર્મચારીએ કારને ઝડપથી પંપથી દૂર લઈ જવા કહ્યું હતું. કાર ચાલકે કારને પેટ્રોલ પંપની બહાર લઈ જતાં જ જાહેર રોડ પર એકાએક કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. કારમાં આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments