Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ahmedabad Accident Video : ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત, અકસ્માત જોવા ઉભેલા ટોળાને જેગુઆરે કચડી નાખ્યા, 9ના મોત, 15થી વધુ ઘાયલ

Webdunia
ગુરુવાર, 20 જુલાઈ 2023 (07:38 IST)
Ahmedabad Accident
Ahmedabad Accident:  ગુજરાતના અમદાવાદ સ્થિત ઇસ્કોન બ્રિજ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 15 થી 20 લોકો ઘાયલ થયા છે. ઇસ્કોન બ્રિજ પર મોડીરાત્રે થાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો.   અકસ્માત જોવા માટે બ્રિજ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન એક હાઇસ્પીડ જગુઆર કારે લોકોને કચડી નાખ્યા.

<

VIDEO | Nine persons were killed and 13 injured after a speeding luxury car ploughed into a crowd at an accident site on a flyover in Ahmedabad earlier today.

The accident occurred past midnight at ISKCON bridge on the Sarkhej-Gandhinagar highway when the car, reported to be… pic.twitter.com/kn0foFnIJM

— Press Trust of India (@PTI_News) July 20, 2023 >

<

#WATCH | Ahmedabad, Gujarat | An accident took place at the ISKCON flyover on Sarkhej-Gandhinagar (SG) highway. pic.twitter.com/r4r9ghl3VF

— ANI (@ANI) July 20, 2023 >
 
આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે, જેઓ થાર અને ડમ્પર અકસ્માત બાદ કાર્યવાહી માટે સ્થળ પર પહોંચ્યા હતા.

<

Ahmedabad, Gujarat | An accident took place at the ISKCON flyover on Sarkhej-Gandhinagar (SG) highway. pic.twitter.com/0xVFL147Xd

— ANI (@ANI) July 20, 2023 >
આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.

મુખ્યમંત્રીએ પણ સંવેદના સાથે સહાયની કરી જાહેરાત આ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ હતું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

Exit Poll Results 2024 LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે બહુમત, જમ્મુ-કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમત નહી

કેનાડામાં વેટર બનવા માટે પણ ભારતીયોમાં જોવા મળી પડાપડી, હજારોની લાગી લાઈન

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

આગળનો લેખ
Show comments