Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત એસ.ટી નિગમના 800 કર્મચારીઓ સંક્રમિત થયા, 150 થી વધુ કર્મચારીઓ એ જીવ ગુમાવ્યો, સરકાર પાસે વળતરની માંગ કરી

Webdunia
ગુરુવાર, 20 મે 2021 (17:19 IST)
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાએ રાજ્યમાં શહેરથી લઈએ ગામડામાં તબાહી મચાવી દીધી છે. રાજ્ય સરકાર આ પરિસ્થિતિને પહોચી વળવા ઘણા પ્રયત્નો કરી રહી છે. કોરોનાથી ગુજરાત એસ.ટી વિભાગના 800 કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં મોટાભાગના ડ્રાઈવર અને કન્ડકટર સંક્રમિત છે. આ 800 માંથી 150 કર્મચારીઓ એ પોતાનો જીવ કોરોનાના કારણે ગુમાવ્યો છે.આજે  એસટી મહા મંડળ દ્વારા આ કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. એસ.ટી  મહામંડળના સભ્યોએ બેનર લઈને સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી. આ મહામારીમાં એસ.ટી સેવાઓ અમુક રૂટ પર ચાલુ રાખવામાં આવી હતી. જેમાં રાજ્યમાં લોકો એક શહેરથી બીજા શહેર અને પરપ્રાંતીય લોકોને બીજા રાજ્યમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે આ સેવા લોકડાઉન દરમિયાન પણ ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન કોરોનાના કહેર વચ્ચે ડ્રાઈવર અને કન્ડકટર એ ફરજ બજાવી છે. તો તેમને યોગ્ય વળતર મળવું જોઈએ.એસટી મહામંડળના કર્મચારીઓએ સરકાર સમક્ષ એ પણ રજૂઆત કરી કે કર્મચારીઓને કોરોના વોરિયરનું બિરુદ આપવામાં આવે. કારણ કે તેઓએ પણ જીવ ના જોખમ એ કોરોના કાળ માં ફરજ બજાવી છે અને તે દરમિયાન તેઓ સંક્રમિત થયા હતા.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments