Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોઈચાની નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા, 3 નાનાં બાળકો સહિત 7 પાણીમાં ગરકાવ

Webdunia
મંગળવાર, 14 મે 2024 (15:15 IST)
8 tourists from Surat drowned in Narmada river at Poicha
ગુજરાતમાં અનેક વખત નદી કે કેનાલમાં ડૂબી જવાના બનાવો બનતાં હોય છે. ત્યારે પોઈચાની નર્મદા નદીમાં સુરતના આઠ પ્રવાસીઓ ન્હાવા ગયા હતાં અને નદીમાં ગરકાવ થઈ ગયા હોવાની ઘટના બની છે. આ આઠ પ્રવાસીઓમાં 3 નાનાં બાળકો સહિત 7 લોકો હોવાનું જાણવા મળ્યું છે. 
 
સ્થાનિક નાવિકો પણ તેમને બચાવવા માટે પાણીમાં કૂદી ગયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. આ પ્રવાસીઓએ બચાવો બચાવોની બૂમો પાડતાં સ્થાનિક નાવિકો પણ તેમને બચાવવા માટે પાણીમાં કૂદી ગયા હતાં. સ્થાનિકોએ આ આઠ પ્રવાસીઓમાંથી એક પ્રવાસીને ડૂબતાં બચાવી લીધો હતો.
 
સાત પ્રવાસીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી
પોઈચાની નર્મદા નદીમાં આ ઘટના બનતાં તંત્રના અધિકારીઓ અને પોલીસ દોડી ગઈ હતી. રાજપીપળા ટાઉન પોલીસ, નગર પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયાં છે અને નદીમાં ગરકાવ થયેલા સાત પ્રવાસીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હળદર, સૂંઠ અને મેથીના મિશ્રણનો આ રીતે કરશો ઉપયોગ, તો Uric Acid થશે દૂર અને શરદી-ખાંસી થશે છૂમંતર

Monsoon Special- કાંદાના ભજીયાની રેસીપી

ચોમાસામાં મસાલા લોટ અને ચોખાના ડબ્બામાં નહી આવે ભેજ, અપનાવો આ રીત

વરસાદની મજા બની શકે છે સજા, વરસાદમાં નહાવાથી પહેલા જાણી લો આ જરૂરી વાત

Chocolate Pede- ચોકલેટ પેડે'નો સ્વાદ મોંમાં ઓગળી જશે, વાંચો સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

આગળનો લેખ
Show comments