Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં રાજમહેલમાં 8 ફૂટનો મગર અને કલાલીમાં બાંધકામ સાઇટમાંથી 5 કલાકની જહેમત બાદ 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો

Webdunia
મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (14:31 IST)
વરસાદ શરૂ થતાં જ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી મગરો સોસાયટી વિસ્તારોમાં આવવાની શરૂ થઇ ગઇ છે. વહેલી સવારે વન વિભાગે રાજમહેલમાંથી 8 ફૂટનો અને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ કલાલી પાસેની એક કન્સ્ટ્રક્શન સાઇટના પાણી ભરેલા ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. 
 
વન વિભાગે રાજમહેલમાં ધસી આવેલા 8 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો 
વડોદરા વન વિભાગ દ્વારા મોડી રાત્રે 3 કલાકે રાજમહેલમાં ધસી આવેલા આશરે 8 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. વન વિભાગના રેસ્ક્યુ ટીમના જિગ્નેશ પરમારને માહિતી મળી હતી કે, રાજમહેલમાં એક મગર ધસી આવ્યો છે. મેસેજ મળતા જ તેઓ પોતાની ટીમ અને પીંજરું લઇ રાજમહેલમાં પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ 8 ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. આ મગર રાજમહેલ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી આવી ગયો હોવાનું મનાય છે. રેસ્ક્યૂ કરવામાં આવેલા મગરને વન ખાતાની કચેરી ખાતે લઇ જવામાં આવ્યો હતો. મગરને સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવશે.
બાંધકામ સાઇટના ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કરાયો
આ ઉપરાંત ગુજરાત એસ.પી.સી.એ. અને વાઇલ્ડ લાઇફ એસ.ઓ.એસ.ના સંચાલક રાજ ભાવસાર અને તેમની ટીમ દ્વારા કલાલી પાસે ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના પાણી ભરેલા ખાડામાંથી 5.5 ફૂટનો મગર રેસ્ક્યૂ કર્યો હતો. રાજ ભાવસારને મેસેજ મળ્યો હતો કે, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પાણી ભરેલા ખાડામાં મગર છે. મેસેજ મળતા જ તેમની ટીમ પહોંચી ગઇ હતી. અને મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દીધો હતો. 
 
5 કલાક રેસ્ક્યૂ ચાલ્યું
રાજ ભાવસારે જણાવ્યું હતું કે, કન્સ્ટ્રક્શન સાઇટમાં આવી પહોંચેલા મગરને કાઢવો મુશ્કેલ હતો. મગર કાઢવા માટે ખાડામાંથી પાણી ઓછું કરવામાં આવ્યું હતું. તે બાદ ટીમ દ્વારા મગરને કોઇ જાનહાનિ ન થાય તે રીતે રેસ્ક્યૂ કરવામાં આવી હતી. પાણી ભરેલા ખાડામાંથી મગરને બહાર કાઢવા માટે 5 કલાક ઉપરાંતનો સમય લાગ્યો હતો. મગર પકડાયા બાદ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર રહેતા મજૂરોએ હાશકારો અનુભવ્યો હતો. આ મગર પણ કલાલી ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ધસી આવ્યો હોવાનું મનાય છે.
 
વિશ્વામિત્રી નદીમાંથી ધસી આવતા મગરો જોખમકારક છે.
છેલ્લા એક સપ્તાહથી વરસાદ શરૂ થતાં જ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી મગરો સોસાયટી વિસ્તારોમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. ખાસ કરીને નદી કિનારે રહેતા  લોકો માટે વિશ્વામિત્રી નદીમાંથી ધસી આવતા મગરો જોખમકારક છે. જોકે, હજુ સુધી કોઇ અપ્રિય ઘટના બની નથી. નદી કિનારાના લોકોને મગરો ધસી આવવાનો ડર સતત રહે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments