Webdunia - Bharat's app for daily news and videos

Install App

આકરી ગરમીમાં અમદાવાદમાં મચ્છરથી ફેલાતા રોગ પછી હવે ટાઈફોઈડ, ઝાડા-ઊલટીના 719 કેસ

Webdunia
બુધવાર, 30 માર્ચ 2022 (10:20 IST)
અમદાવાદ શહેરમાં ઉનાળો શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું છે. શહેરમાં માર્ચના 28 દિવસમાં જ 449 જેટલા ઝાડા-ઊલ્ટીના કેસ સામે આવ્યા છે. તે ઉપરાંત કમળો-ટાઇફોઇડના કેસ પણ વધી રહ્યા છે. તે ધ્યાને લેતાં શહેરમાં હવે કોરોના અને મચ્છરજન્ય રોગચાળા બાદ પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે.



શહેરમાં ચાલુ વર્ષે માર્ચમાં ઝાડા-ઊલ્ટીના 449 જેટલાં દર્દીઓ મ્યુનિ. ચોપડે નોંધાયા છે જે આંકડો 20-21ના માર્ચમાં નોંધાયેલા આંકડા કરતા પણ વધારે છે. તે રીતે કમળાના કેસ પણ પાછલા બે વર્ષની સરખામણીએ વધુ જોવા મળી રહ્યા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો અચાનક માથું ઉચકી રહ્યો છે. ત્યારે મ્યુનિ. તંત્ર તેને અટકાવવા પાણીના સેમ્પલના તેમજ ક્લોરિનના ટેસ્ટિંગ શરૂ કર્યા છે. જેમાં ચાલુ વર્ષે મ્યુનિ.એ લીધેલા પાણીના સેમ્પલમાં જ 20 જેટલા સેમ્પલ અનફિટ જોવા મળ્યાં હતાં. પાણીમાં યોગ્ય ક્લોરિનનું યોગ્ય પ્રમાણ જળવાય તે માટે મ્યુનિ.એ 39300 જેટલી ગોળીનું વિતરણ પણ કર્યું છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો હવે ઘટી ગયો છે.શહેરમાં સતત બીજા દિવસે કોરોનાનો એક કેસ નોંધાયો છે. 6 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ જાહેર કરાયા છે. મંગળવારે પણ કોરોનાથી એકેય દર્દીનું મોત થયું નથી. 12,165 લોકોએ કોરોનાની રસી લીધી છે. જેમાં 6114એ પ્રથમ, 4747એ બીજો જ્યારે 1304એ પ્રિકોશન ડોઝ લીધો હતો. આ ઉપરાંત 12થી 14 વર્ષની ઉંમરના 5227 બાળકોએ વેક્સિન મેળવી છે. સામે 15 થી 18 વર્ષના 359એ પ્રથમ અને 1312એ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments