Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં 63 બ્રિજને રીપેરિંગની જરૂર જ્યારે 23 બ્રિજ અત્યંત ખરાબ હાલતમાંઃ હાઈકોર્ટમાં સરકારે સ્વીકાર્યુ

Webdunia
શુક્રવાર, 3 માર્ચ 2023 (19:18 IST)
મોરબી ઝૂલતા બ્રિજની ઘટના બાદ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ચર્ચામાં આવ્યો છે. આજ સમયે અમરેલીના રાજુલામાં બ્રિજ ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે. ત્યારે હાઈકોર્ટમાં રાજ્ય સરકારે બ્રિજના મુદ્દે સોગંદનામું રજુ કર્યું છે. સરકારે સોગંધનામામાં જણાવ્યું છે કે, રાજ્યના કુલ 63 બ્રિજ હાલ ખરાબ હાલતમાં છે. આ તમામ બ્રિજોને સમારકામની જરૂર છે. 
 
40 બ્રિજ એવા છે જેને સામાન્ય સમારકામની જરૂર
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે, 40 બ્રિજ એવા છે જેને સામાન્ય સમારકામની જરૂર છે. 23 બ્રિજની હાલત અત્યંત ખરાબ છે.અમદાવાદના 12, સુરતમાં 13, વડોદરામાં 4, રાજકોટમાં 1 અને જુનાગઢ 7 બ્રિજમાં સમારકામની જરૂર છે. રાજ્યના કુલ 63 બ્રિજ ખસ્તા હાલતમાં છે જેને સમારકામની જરૂર છે.ગાંધીનગરમાં બનેલા એક પણ બ્રિજને હાલમાં રિપેરિંગ કરવાની જરૂરિયાત ન હોવાનો ખુલાસો પણ એફિડેવિટમાં કરાયો છે.
 
બ્રિજની સ્થિતિ વિશે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન 25 જાન્યુઆરીએ મોરબી બ્રિજની સ્થિતિ વિશે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલે વળતર આપવાની પણ તૈયારી દેખાડી હતી. અલબત્ત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે. ગઈ કાલે જ અમરેલી જિલ્લાના રાજુલા નજીક દાતરડી બાયપાસ પાસે બની રહેલો ઓવરબ્રિજ ધરાશાયી થયો હતો.

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments