Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમગ્ર ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ અને બિહારના 50 હજારથી વધુ લોકોની હિજરત

50 thousands people leave from gujarat
Webdunia
મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (12:06 IST)
બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યનાં અનેક વિસ્તારોમાં પરપ્રાંતીય નાગરીકોને ટારગેટ કરાયા છે. જેને પગલે તેઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. ઘર ખાલી કરવાની સતત મળી રહેલી ધમકીઓ અને હૂમલો કે તેની આશંકાને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ લોકોની હિજરત થઇ ચૂકી છે. જો સ્થિતિ સુધરશે નહીં તો હજુ ગુજરાતમાંથી હિજરત કરી જવાનો આંકડો વધશે.

શાંતિપ્રિય ગણાતા ગુજરાતમાં બની રહેલી ઘટનાઓના પડઘા અન્ય રાજ્યોમાં પણ પડયા છે. તેની સરકારો પણ ચિંતીત થઇ છે. સતત ચાલી રહેલી વાટાઘાટો અને સલામતિનાં બણગાઓ પરપ્રાંતીય પરિવારોએ ગુજરાતમાંથી ઉચાળા ભરવાનું શરૃ કર્યું છે. જેને પગલે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો ફૂલ થઇ ગઇ છે. આ માર્ગ પર દોડતી સરકારી - લકઝરી બસોમાં પણ જગ્યા નથી. આવા માહોલમાં ગુજરાત સરકારે હિજરત કરી ગયેલા પરપ્રાંતીય નાગરીકોને ફરીથી ગુજરાત આવી જવાની અપીલ કરી છે. તેમજ હજુ જે ગુજરાતમાં છે તેવા લોકોને હિજરત નહીં કરવાની વિનંતી પણ કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તમારી સુરક્ષાની જવાબદારી અમારી છે. તેમજ જે હૂમલા થયા છે તેનાં દોષિતોને છોડવામાં નહીં આવે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments