Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે પર ગોજારો અકસ્માત, 5 લોકોના મોત

Webdunia
સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (13:56 IST)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર કાર અને ટ્રેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 5 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થયા છે. ત્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવા તેમજ અકસ્માતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભરૂચના પાંચ લોકો કારમાં અમદાવાદ આવી રહ્યાં હતા. તે દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વૅ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આજે સવારે આશરે 7:30થી 8:00 વાગ્યા વચ્ચે અર્ટિગા કાર ટ્રેલરના પાછળના સાથે ધડાકાભેર અથડાતા હતી. જેના કારણે ટ્રેલરની પાછળનો ભાગ કારનો કાંચ તોડીને અંદર આવી જતા આ પાંચે લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે.
 
હાલ મહેમદાબાદ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યું હતું. જેમાં હિમ્મતનગરનાં જોશી પ્રજ્ઞેશકુમારનું નામ છે. કાર એટલી જોરથી અથડાઇ હતી કે તેની આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેને ક્રેઇનની મદદથી બાજુમાં લેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments