Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વસતા 40 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા મળી

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (09:35 IST)
અમદાવાદમાં વસતા  ૪૦ જેટલા પાકિસ્તાની હિંદુ નિરાશ્રિતોને આજે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભારતીય નાગરીકતા આપવામાં આવી હતી. જેને લઇને વર્ષોથી 'લોંગ ટર્મ વિઝા' પર વસવાટ કરી રહેલા આ પરિવારોમાં ભારે આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે અને ત્યાર બાદ સમયાંતરે ધર્મને બચાવવા માટે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિજરત કરીને ભારતના અલગ-અલગ રાજ્યમાં  આવીને વસેલા પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી રહી છે.

'૨૩-૧૨-૨૦૧૬ થી કલેક્ટરને નાગરીકતા આપવાની સત્તા મળ્યા બાદ અમદાવાદમાં અત્યાર સુધીમાં કલેક્ટર દ્વારા  કુલ ૧,૦૩૨ જેટલા પાકિસ્તાની હિંદુઓને નાગરીકતા અપાઇ ચુકી છે.  અમદાવાદમાં હાલમાં પણ ૩,૫૦૦ જેટલા પાકિસ્તાની હિંદુઓ 'લોન્ગ ટર્મ વિઝા 'પર રહે છે.'લોંગ ટર્મ વિઝા ' ઉપર  સાત અને બાર વર્ષ બાદ તેઓ ભારતીય નાગરીકતા માટે અરજી કરી શકે છે. દેશમાં અમદાવાદ એવું શહેર છેકે જ્યાં સૌથી વધુ પાકિસ્તાની હિંદુઓને નાગરીકતા  આપવમાં આવી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments