Webdunia - Bharat's app for daily news and videos

Install App

જલગાંવથી સુરત તરફ આવી રહેલી બસ પુલ પરથી ખાબકી, 4ના મોત, 35 ઘાયલ

Webdunia
બુધવાર, 21 ઑક્ટોબર 2020 (12:18 IST)
જલગાવથી 40 મુસાફરોને લઇને સુરત આવી રહેલી એક ખાનગી બસનો મોડીરાત્રે અકસ્માત સર્જાયો છે. ગુજરાતની બોર્ડરે આવેલા મહારાષ્ટ્રના નવાપુરના કોંડાઈભારી ઘાટ નજીક પ્રાઇવેટ બસ પુલ પરથી 40 ફૂટ નીચે ખાબકી જતાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 35થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે.
 
મળતી માહિતી અનુસાર જલગાંવથી સુરત તરફ જતાં કોંડાઈભારી ઘાટની દરગાહ પાસેના પુલ પરથી મોડીરાત્રે 2 વાગ્યે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નીચે ખાબકી હતી. ઘણા મુસાફરો બસમાં ફસાઈ પણ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતમા 4 મુસાફરોનું મોત થયું છે.  35થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ખાનગી ટ્રાવેલ્સની બસમાં 40 મુસાફરો હતા. સૌથી વધુ સુરત અને જલગાવના મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. 
 
અકસ્માતમાં બસના ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચતા વિસારવાડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે નંદુરબારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments