Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat - BJPથી ગભરાઈ કોંગ્રેસ, રાતોરાત 41 ધારાસભ્યોને બેંગ્લુરુના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા

Webdunia
શનિવાર, 29 જુલાઈ 2017 (10:30 IST)
ગુજરાતમાં થનારી રાજ્યસભા ચૂંટણી પહેલા 6 કોંગ્રેસી ધારાસભ્યોના પાર્ટીનો સાથ છોડી બીજેપીમાં ચાલ્યા જવા પર પાર્ટીમાં કોહરામ મચી ગયુ. પાર્ટી ઉતાવળમાં 41 ધારસભ્યોને શુક્રવારે મોડી રાત્રે બેંગલુરૂ લઈ ગઈ.
 
ઉલ્લેખનીય છે કે બધા 41 ધારાસભ્યોને 8 ઓગસ્ટના રોજ થનારી રાજ્યસભા ચૂંટણીના પહેલા સુધી રાખવામાં આવશે. બીજી બાજુ કોંગ્રેસના એક ધારાસભ્યએ જણાવ્યુ કે પાર્ટી ધારાસભ્યોને તોડવા માટે બીજેપી પોલીસનું દબાણ કે પૈસાના દબાણ દ્વારા તોડવાનો પ્રયાસ કરી રહી છે. 

<

Ahmedabad: 44 Gujarat Congress MLAs leave for Bengaluru pic.twitter.com/BtRim2K8Sm

— ANI (@ANI_news) July 28, 2017 >
શુક્રવારે વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, બાલાસિનોરના માનસિંહ ચૌહાણ અને ઠાસરાના રામસિંહ પરમારે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાને રાજીનામું સુપરત કર્યું હતું. આ સાથે જ છેલ્લા બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોની સંખ્યા 6 થઈ છે. બીજીતરફ કોંગ્રેસના ઉમેદવાર અહમદભાઈ પટેલને પછાડવાની ભાજપની યોજનાને નિષ્ફળ બનાવવા કોંગ્રેસના 41  જેટલા ધારાસભ્યોને શુક્રવારે મોડી રાત્રે ગુજરાત બહાર-કર્ણાટકના બેંગ્લુરુના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. આ ધારાસભ્યોને મતદાનના એક-બે દિવસ પહેલાં, 6-7 ઓગસ્ટે ગુજરાત પરત લવાશે. 
 
કોંગી ધારાસભ્યોના રાજીનામાના દોર વચ્ચે શુક્રવારે દિવસ દરમિયાન વરિષ્ઠ નેતા અહમદભાઈ પટેલ, પ્રભારી અશોક ગેહલોત સહિત ટોચના નેતાઓએ શ્રેણીબદ્ધ બેઠકો યોજીને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી. કોંગ્રેસના ટોચના નેતાઓ રાજ્યસભાની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કરતાં તેમની પાસે ધારાસભ્યોની પુરતી સંખ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments