Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગર સમઢિયાળા ગામે બે જ્ઞાતિ વચ્ચે જમીન મામલે બબાલ, 2 દલિતોનાં મોત

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2023 (10:53 IST)
સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકાના સમઢિયાળા ગામે બે જ્ઞાતિ વચ્ચે જમીન મામલે બબાલ, 2 દલિતોનાં મોત
ચુડાના સમઢિયાળા ગામે બે જ્ઞાતિ વચ્ચે જમીન બાબતે મોટી બબાલ થયાની માહિતી મળી છે. આ વચ્ચે મારામારીની ઘટનામાં 7  વ્યક્તિઓ ઘાયલ થયાની માહિતી મળી હતી જેમાંથી 2 સારવાર દરમિયાન મૃત્યુ પામી ગયાના અહેવાલ મળ્યા છે.

માહિતી અનુસાર જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામસામે બાખડી પડ્યા હતા. આ દરમિયાન હથિયારો સાથે અથડામણ જોવા મળી હતી. જેના લીધે ઘાયલોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં અનુસુચિત જાતિ એટલે કે દલિતો સમુદાયના 2 આધેડના સારવાર દરમ્યાન મેડિકલ કોલેજમાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. એક સાથે 2 હત્યાના બનાવને લઈ મેડિકલ કોલેજ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્રિત થયા હતા.ઘટના બાદ ભારે તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે ડી.વાય. એસપી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં આ બનાવ બન્યો હતો. જેમાં અથડામણને લઈ 7થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે ખસેડાયા હતા. મેડિકલ કોલેજ ખાતે સારવાર આપવામાં આવી રહી હતી જેમાં બે આધેડના મોત થાય હોવાનું સામે આવ્યું છે.ચુડા તાલુકાના સમઢિયા ગામે બે જ્ઞાાતિ વચ્ચે જમીન વિવાદમાં બોલાચાલી થઈ હતી. તે સમયે બોલાચાલીમાં બંને પક્ષના વ્યક્તિઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.

ઉશ્કેરાયેલા લોકોએ લાકડા તેમજ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં એક જ પરિવારના દલપભાઈ કાનાભાઈ, અલાભાઈ પામાભાઈ પરમાર, સાતાબેન પામાભાઈ પરમાર, મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર, નંદનીબેન મનોજભાઈ પરમાર સહિતનાને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી ત્રણ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ ચુડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments