Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 કલાકમાં 13 વર્ષના ધ્રુવને ભરખી ગયો કોરોના, પરિવાર માટે આભ તૂટી પડ્યું

Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (08:51 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ લહેરમાં લક્ષણો દેખાતા નથી પરંતુ જીવલેણ નીવડે છે. હવે મોટી સંખ્યામાં બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યાં છે.  ત્યારે લક્ષણો વગરના કોરોનાએ સુરતમાં એક બાળકનો ભોગ લેવાયો છે. આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનો એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.
 
મળતી માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભવાની બિલ્ડિંગમાં ભાવેશભાઇ કોરાટ એબ્રોઇડરીના મશીનનું કારખાનું ચલાવે છે. રવિવારે તેમના 13 વર્ષના બાળક ધ્રુવની લથડી હતી. જેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનો રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવતાં માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ માત્ર 5 કલાકમાં જ ધ્રુવનું મોત નિપજ્યું હતું. 
 
અત્રે મહત્વની અને ચોંકાવનારી વાત એ છે કે, ધ્રુવને કોરોનાના કોઈ લક્ષણો ન હતા. જો સમયસર કોરોનાના લક્ષણ જોવા મળ્યા હોત તો તેનો જીવ બચી શક્યો હોત. ધ્રુવને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે તે ખૂબ ગંભીર હાલતમાં હતો, તેને તરત જ વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યો હતો. તેમ છતાં ધ્રુવ બચી શક્યો ન હતો. 
 
સુરતમાં હાલ એક 10 વર્ષનો બાળક પણ સારવાર હેઠળ છે. તો બીજી તરફ, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં 1885 બેડ ફૂલ થઈ ગઈ છે. માત્ર 200 બેડ ખાલી ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જોકે તંત્રએ રેકર્ડ પર માંડ 30 મોત બતાવ્યા છે. આગામી 10 દિવસમાં જો સ્થિતિ કાબુમાં નહીં આવે તો સુરત શહેરમાં તબીબી માળખું ભાંગી પડવાના આસાર ડોક્ટરોએ વ્યક્ત કર્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments