Webdunia - Bharat's app for daily news and videos

Install App

અસાધ્ય રોગથી પિડાતા કાળજાના કટકા માટે પિતાએ પીએમ મોદી પાસે ઈચ્છા મૃત્યુ માંગ્યુ

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (17:15 IST)
અસાધ્ય બીમારીથી પીડાતા પોતાના દીકરાના ઈચ્છા મૃત્યુ માટે સાવરકુંડલાના દિનેશભાઈ મૈસુર્યાએ એક જ વર્ષમાં પીએમને ફરી પત્ર લખ્યો છે. આ વખતે તેમણે પત્ર દીકરાની સારવારમાં કોઈ કચાશની ફરિયાદ કરવા નહીં, પરંતુ પોતાના દીકરાને દયા મૃત્યુ આપવાની વિનંતી કરવા લખ્યો છે. મગજની અસાધ્ય બીમારીથી પીડાતા દીકરાને રોજેરોજ દર્દથી કણસતો જોવો આ મા-બાપ માટે અસહ્ય બની રહ્યું છે. 

તેમના દીકરાને દર 10 મિનિટે જોરદાર આંચકી આવે છે. દિનેશભાઈનો 12 વર્ષનો દીકરો પાર્થ સબક્યુટ સ્ક્લેરોસિંગ પેનીનેસ્કિફાલિટીસ (SSPE)થી પીડાય છે, જે મગજનો દુર્લભ રોગ છે. જેના કારણે દર્દીને અચાનક આંચકી આવતી રહે છે, અને દર્દીનો પોતાના હાથપગના હલનચલન પર કોઈ કાબૂ નથી રહેતો.  આ પરિવારે પીએમ મોદીને મદદ માટે પત્ર લખ્યો ત્યાર બાદ પીએમ ઓફિસની સૂચના બાદ પાર્થને દિલ્હી સ્થિત એઈમ્સમાં સારવાર માટે લઈ જવાયો હતો.  ડોક્ટરોનું કહેવું છે કે, પાર્થને જે રોગ થયો છે તેનો કોઈ ઈલાજ નથી.  દિનેશભાઈ જણાવે છે કે, ‘મેં પાર્થને ડોક્ટરોને રિસર્ચ માટે સોંપી દીધો છે, જેથી તેઓ આ રોગની દવા તૈયાર કરી શકે. જોકે, તેની કોઈ દવા હાલ ઉપલબ્ધ ન હોવાથી મેં પાર્થ માટે દયા મૃત્યુની માગ કરી છે.’ પરંતુ, દેશના કાયદા અનુસાર, ઈચ્છા મૃત્યુને કોઈ અવકાશ નથી. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments