Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં કોંગ્રેસના સત્યવિજય સંમેલનમાં ઈમાનદાર ધારાસભ્યોનું સન્માન કરાયું

Webdunia
મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (16:57 IST)
ભાજપની નિમ્નસ્તરે ઉતરી ગયેલી રાજનીતિનો મુદ્દો આગળ ધરીને હવે કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણીમાં તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવા કમરકસી રહી છે. આજે સત્યવિજય સંમેલનનું ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરાયું છે. જેમાં કોંગ્રેસના 43 ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું છે. રાજયસભાના સાંસદ અહેમદ પટેલ અને અન્ય મોટા નેતાઓની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો છે. કોંગ્રેસના સત્યવિજય સંમેલનમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા, શહેરોના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમ ઈલેકશનલક્ષી અને સંગઠનને વેગવંતુ તથા મજબુત બનાવવા માટે પણ હોવાનું અગ્રણીઓ જણાવી રહ્યાં છે. અહેમદ પટેલની ગુજરાત રાજ્યસભાની બેઠકમાં જીત થતાં આ મામલે ભાજપને પિછેહઠ મળતા કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ પુરાયા હોય તેમ કાર્યકરો અગ્રણીઓમાં એક ઉત્સાહ જણાય રહ્યો છે. સુરત કોંગ્રેસમાં જુથવાદ અને કેટલાંક ફૂટેલી કારતૂસ જેવા લોક નેતાઓને લીધે સુરતમાં કોંગ્રેસ નબળી પુરવાર થઈ હતી. પરંતુ આટઆટલા અનુભવો છતાં તેમાંથી શીખ મેળવી નહી શકતા વિધાનસભા બેઠક હજી એક પડકાર રૂપ હોવાનું કહેવાય રહ્યું છે. કોંગ્રેસના નેતાઓમાં નવો ઉત્સાહ જણાતા આ સંમેલન કોંગ્રેસ માટે મહત્વનું બની રહેશે. અને તેમાં એકતા દાખવીને યોગ્ય ઉમેદવારની જાહેરાત કરાય તો ભાજપને હંફાવી શકે તેમ છે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments