Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું શંકરસિંહ વાઘેલા ખરેખર વિધાનસભામાંથી વિપક્ષના નેતા તરીકે રાજીનામું આપશે?

Webdunia
શનિવાર, 3 જૂન 2017 (14:03 IST)
આગામી સમયમાં ગુજરાતમાં વિઘાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે બંને રાજકિય પક્ષોની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભાજપ આંદોલનોથી ડરી રહ્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસ અંદરોઅંદરના જૂથવાદને લીધે ભરાઈ પડ્યો છે. કોંગ્રેસના અંદરના સુત્રો મુજબ રાહુલ ગાંધી સાથે ચૂંટણી બાબતે બેઠક કરવા દિલ્હી ગયેલા શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, ‘જો તેમને ગુજરાતની આગામી ચૂંટણીમાં સીએમ પદના ઉમેદવાર જાહેર નહીં કરવામાં આવે તો તેઓ વિરોધપક્ષના નેતાના પદ પરથી રાજીનામું આપી દેશે.’તો બીજીબાજુ કોંગ્રેસમાં ગણગણાટ પણ શરૂ થયો છે કે ભલે બાપુ ના પાડે પરંતુ ચૂંટણી પહેલા જ પોતાના સપોર્ટર્સ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોતાની માગણીઓ નહીં સંતોષાતા શંકરસિંહ આગામી 5 જૂનના રોજ દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને યોજાનારી કોંગ્રેસના મોવડી મંડળની બેઠકમાં અનુપસ્થિત રહીને પોતાનો વિરોધ દર્શાવી શકે છે.શંકરસિંહના જૂથના કેટલાક નેતાઓનું કહેવું છે કે ‘બાપુએ પક્ષના મોવડી મંડળને પોતાની માગણી રજૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસ પર દબાણ બનાવતા શંકરસિંહે ટ્વિટર પરથી રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓને અનફોલો કર્યા હતા.બીજીબાજુ શંકરસિંહ ભાજપની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંને વિરુદ્ધ પણ પોતાના સૂર કાઢી રહ્યા છે.  

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments