Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાર્કિંગની પળોજણ વચ્ચે ખેલૈયાઓ આજથી ગરબે ઘૂમશે

Webdunia
બુધવાર, 10 ઑક્ટોબર 2018 (12:10 IST)
નવરાત્રિનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે તલપાપડ બન્યા છે. જોકે, અમદાવાદમાં આ વખતે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઘૂમશે ત્યારે તેમને પોતાના વાહનના પાર્કિંગની પળોજણ પણ સતાવશે.પાર્કિંગની સમસ્યને પગલે આ વખતે ક્લબ, પાર્ટી પ્લોટમાં દર વખતની સરખામણીએ ઓછા ખેલૈયાઓ જોવા મળી શકે છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની અનેક ક્લબોએ નવરાત્રિ માટે દર વર્ષની સરખામણીએ આ વખતે ઓછા પાસ જારી કર્યા છે. રાજપથ ક્લબે આ વખતે ગરબા દરમિયાન ૪ હજાર લોકોની જ મર્યાદા રાખી છે અને તેમાં ક્લબના મેમ્બર્સ-ગેસ્ટ્સને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. ગત વર્ષે રાજપથ ક્લબમાં દરરોજ ૧૦ હજાર લોકો ગરબામાં આવતા હતા, જેની સરખામણીએ આ વખતે સંખ્યા ઓછી જોવા મળશે. બીજી તરફ કર્ણાવતી ક્લબે કુલ ૧૬૦૦ કારના પાર્કિંગ માટે વ્યવસ્થા કરી છે. કાર પાર્કિંગની વ્યવસ્થા માટે બે પ્લોટ પણ ભાડે રાખેલા છે. આ વખતે ટ્રાફિક પોલીસના કડક અભિગમ, પાર્કિંગની મર્યાદિત જગ્યાને પગલે અનેક ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે કેબ સર્વિસનો પણ વધારે ઉપયોગ કરી શકે છે. નવરાત્રિ દરમિયાન આ વખતે અનેક શાળા-કોલેજમાં  વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.
 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments