Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉદવાડા- ગુજરાતમાં પારસીઓનું આ ગામ હેરિટેજ પ્લેસ બન્યું

Webdunia
ગુરુવાર, 1 જૂન 2017 (11:44 IST)
18મી સદીમાં ઉદવાડા ગામ પેશ્વા શાસન હેઠળ હતું. ઇ.સ. 1742માં સંજાણ બંદરેથી આવી પારસીઓ ઉદવાડા ગામમાં વસવાટ કરવા લાગ્યા હતા. દરિયા કિનારે વસેલું અને સુંદર વાતાવરણ વચ્ચે પારસીઓએ પોતાના કાયમી વસવાટ સ્થળ તરીકે આ ગામની પસંદગી કરી હતી. સંજાણથી ઉદવાડા આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં પારસી સમુદાય દ્વારા પોતાના ઐતિહાસીક વારસો જાળવી રાખ્યો છે. જેના કારાણે વિશ્વભરના પારસીઓ માટે ઉદવાડા ગામ પવિત્ર હેરીટેજ પ્લેસ બન્યું છે. ઉદવાડા ગામે કુદરતી રીતે પ્રગટેલા આતશના દર્શન માટે વિશ્વભરના પારસીઓ અહીં આવે છે. પારસી સમુદાય દ્વારા આયોજીત કાર્યક્રમોમાં દેશ-વિદેશના પારસીઓ અહીં ઉમટી પડે છે. PM મોદી દ્વારા પારસીઓના પવિત્ર તીર્થ સ્થળ ઉદવાડા ગામને વર્લ્ડ હેરિટેજ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી. જેને લઇ હવે પારસીઓનું પવિત્ર સ્થળ હેરિટેજ તરીકે વિકસી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ આ ગામને હેરીટેજ તરીકે વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.પાક ઇરાનશાહ આતશ બહેરામ મુખ્ય પવિત્ર તીર્થધામ આવેલું છે.વર્ષો પહેલાં કુદરતી રીતે પ્રગટેલી આતશ આજે પણ ઇરાનશાહમાં પ્રજ્વલિત છે. 150 વર્ષ કરતાં પણ જુના મકાનો હાલ પણ અહીં અડીખમ જોવા મળી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવેલું ઉદવાડા ગામ વિશ્વભરના પારસીઓ માટે હેરીટેજ પ્લેસ બન્યું છે.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments