Festival Posters

Badrinath Dham- ધરતી પર બેકુંઠની યાત્રા કરો ચાલો બદ્રીનાથ

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (20:48 IST)
નર નારાયણ દ્વારા સ્થાપિત ગયું હતું. દેશની એકતા અને અખંડતા અને હિન્દુ ધર્મના પુર્નસ્થાપના કરવા માટે શંકરાચાર્યએ ચારે દિશાઓમાં ચાર તીર્થસ્થળ સ્થાપિત કર્યા. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ,પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા. 
ભારતના ઉત્તરમાં સ્થિત આ મંદિર ભગવાન વિષ્ણુના દરબાર ગણાય છે. મંદિર ત્રણ ભાગમાં વિભાજિત છે, ગર્ભગૃહ, દર્શનમંડપ અને સભામંડપ. મંદિર પરિસરમાં 15 મૂર્તિઓ છે. તેમાંથી સૌથી મુખ્ય છે ભગવાન વિષ્ણુની એક મીટર ઉંચી કાળા પત્થરની પ્રતિમાં જેમાં  ભગવાન વિષ્ણુ ધ્યાન મગ્ન સુશોભિત છે. મુખ્ય મંદિરમાં ભગવાન બદ્રીનારાયણની કાળા પાષાણની શીર્ષ ભાગની મૂર્તિ છે. 
 
જેના જમણા અને કુબેર લક્ષ્મી અને નારાયણની મૂર્તિઓ છે. આદિગુરૂ શંકરાચાર્ય દ્વારા અહીં એક મઠની પણ સ્થાપના કરી છે. શંકરાચાર્યની વ્યવસ્થાના મુજબ બદ્રીનાથ મંદિરના મુખ્ય પુજારી દક્ષિણ ભારતના કેરળ રાજ્યથી હોય છે. એપ્રિલ-મે થી ઓક્ટોબર-નવેમ્બર સુધી મંદિઅર દર્શનના માટે ખુલ્લો રહે છે. અહીં 130 ડિગ્રી સેલ્સિયસ પર ઉકળતો એક તપ્ત કુંડ અને સૂર્ય કુંડ છે જયાં પૂજાથી પહેલા સ્નાન જરૂરી સમજાય છે. 
પંચ બદ્રી કે પાંચ બદ્રિયા-બદ્રીનાથ ધામમાં સનાતન ધર્મના સર્વશ્રેષ્ઠ આરાધ્ય દેવ શ્રી બદ્રીનારાયણ ભગવાનના પાંચ સ્વરૂપોની પૂજા અર્ચના હોય છે. વિષ્ણુના આ પાંચ રૂપને પંચ બદ્રીના નામથી ઓળખાય છે. બદ્રીનાથના મુખ્ય મંદિરના સિવાય બીજી ચાર બદ્રીઓના મંદિર પણ અહીં સ્થાપિત છે. 
શ્રી વિશાલ બદ્રી-શ્રી વિશાલ બદ્રી (શ્રી બદ્રીનાથમાં) વિશાળ બદ્રીના નામથી પ્રસિદ્ધ મુખ્ય બદ્રીનાથ મંદિર, પંચ બદ્રીઓમાંથી એક છે.  તેની દેવ સ્તુતિના પુરાણોમાં ખાસ વર્ણન કરાય છે. ધર્મરાજ અને ત્રિમૂર્તિના બન્ને પુત્રો નર અને નારાયણએ બદ્રી નામ વનમાં તપસ્યા કરી. જેનાથી ઈન્દ્રનો ધમંડ ચૂર થઈ ગયું. પછી અહીં નર નારાયણ દ્વાપર યુગમાં કૃષ્ણ અને અર્જુનના રૂપમાં અવતરિત થયા પછી બદ્રીનારાયણ નારદ શિલાની નીચે એક મૂર્તિના રૂપમાં મળ્યા. જેને અમે વિશાળ બદ્રીના નામથી ઓળખે છે. 
 
શ્રી યોગધ્યાન બદ્રી- યોગધ્યાન બદ્રી (પાંડુકેશ્વરમાં) 1500 વર્ષથી પણ પ્રાચીન યોગધ્યાન બદ્રીનો મંદિર જોશીમઠ અને પીપળકોઠી પર સ્થિત છે. મહાભારત કાળના અંતમાં કૌરવો પર વિજય મેળવવા, કળયુગના પ્રભાવથી બચવા માટે પાંડવ હિમાલતની તરફ આવ્યા અને અહીં પણ તેણે સ્વર્ગારોહણના પહેલા ઘોર તપસ્યા કરી હતી. 
 
શ્રી ભવિષ્ય બદ્રી- શ્રી ભવિષ્ય બદ્રી (જોશીમઠની પાસે) જોશીમઠના પૂર્વમાં 17 કિમીની દૂરી પર અને તપોવલના સુબૈનની પાસે ભવિષ્ય બદ્રીનો મંદિર સ્થિત છે. આદિ ગ્રંથો મુજબ આ જ એ સ્થાન છે જયાં બદ્રીનાથના માર્ગ બંદ થયા પછી ધર્માવલંબી અહીં પૂજા -અર્ચાઅ માટે આવે છે. 
 
શ્રી વૃદ્ધ વદ્રી- શ્રી વૃદ્ધ બદ્રી(અણિમઠ પૈનીચટ્ટીની પાસે) આ જોશીમઠથી 8 કિમી દૂર 1380મીની ઉંચાઈ પર સ્થિત છે. એવી માન્યતા છે કે જ્યારે કળયુગનો આગમન થયું હતું તો ભગવાન વિષ્ણુ મંદિરમાં ચાલ્યા ગયા. આ મંદિર વર્ષ ભર ખુલ્લો રહે છે. વૃદ્ધ બદ્રીને શંકરાચાર્યજીની મુખ્ય ગદ્દી ગણાય છે. 
 
કેવી રીતે પહોંચવું
રેલ પરિવહન
બદ્રીનાથનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઋષિકેશ છે, જે અહીંથી ફક્ત 297 કિ.મી. છે. દૂર સ્થિત થયેલ છે. ઋષિકેશથી સીધા મુંબઈ, દિલ્હી અને લખનઉ જેવા ભારતના મોટા શહેરો સાથે જોડાયેલ છે. દિલ્હીથી રેલ દ્વારા બદ્રીનાથ પહોંચવા માટે પ્રવાસીઓ દ્વારા બે રૂટનો ઉપયોગ કરી શકાય છે. દિલ્હીથી ઋષિકેશ- 287 કિ.મી. દિલ્હીથી કોટદ્વાર -300 કિમી.
વાયુ માર્ગ - બદ્રીનાથની સૌથી નજીકની જૉલી ગ્રાન્ટ એરપોર્ટ, દેહરાદૂન છે, જે ફક્ત 314 કિમી દૂર છે. દેહરાદૂનથી ભારતનાં અન્ય મોટા શહેરોમાં હવાઇ સેવાઓ ઉપલબ્ધ છે. બદ્રીનાથ ખાતેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે.
 
રોડ પરિવહન
ઉત્તરાંચલ રાજ્ય ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દિલ્હી-ઋષિકેશ માટે નિયમિત બસ સેવા આપે છે. આ ઉપરાંત, ખાનગી પરિવહનથી અન્ય નજીકી આવેલા હિલ સ્ટેશનમાં બસ સેવા પણ ઉપલબ્ધ છે, જેમાં બદ્રીનાથ પણ છે. ખાનગી ટેક્સી ભાડે અને અન્ય સાધનો ભાડાથી લઈને સરળતાથી ઋષિકેશથી બદ્રીનાથ સુધી પહોંચી શકાય છે.
 
ઋષિકેશ 297 કિ.મી. છે
દેહરાદૂન 314 કિ.મી.
કોટદ્વાર 327 કિ.મી.
દિલ્હી 395 કિ.મી.
 
રોકવા માટે
બદ્રીનાથ અને જોષીમઠ બંને સ્થળ પર યાત્રાળુઓ રહેવા માટે વિવિધ પ્રકારનાં હોટેલ્સ સસ્તું દરે ઉપલબ્ધ છે.
 
હોટલ દેવલોક, ઝુનઝુનવાલા  કૉટેજ, મોદી ભવન, મિત્તલ કૉટેજ,ચંદ કૉટેજ, બદ્રીશ સદન, કાલી કમલી ધર્મશાલા, જલ નિગમ રેસ્ટ હાઉસ અને ફૉરેસ્ટ રેસ્ટ હાઉસ  વગેરે રોકાવા માટે પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ છે.
 
ઉત્તરાંચલ સરકાર તેના મુસાફરો માટે પ્રવાસી માહિતી સુવિધા પૂરી પાડે છે. આ સિવાય, ખાનગી હોટલ વિવિધ ડિસ્કાઉન્ટેડ દરે પણ ઉપલબ્ધ છે.
 
તેના સદાબહાર લીલો ઘાસ અને હર્રા , જાંબુ , સાજ, સાલ, પાઈન, દેવદારૂ , સફેદ ઓક, નીલગિરી, ગુલમહોર, જેકેરેંડા અને અન્ય નાના અને મો
ટા ગાઢ વૃક્ષો દ્વારા આવરી લેવામાં વન કોરિડોર અને ખીણો ભવ્ય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉનાળામાં ઠંડક આપતી રસદાર શરબત ઘરે કેવી રીતે બનાવવી: ધ્યાનમાં રાખવા જેવી 3 વાનગીઓ

Tenali rama story -તેનાલી રામની વાર્તા: ઘાઘરીમાં સમુદ્ર

Top 50 Shree letter baby Names- શ્રી થી શરૂ થતા છોકરા - છોકરીઓના નામ

Creamy Corn Cheese - ક્રીમી કોર્ન ચીઝ

Hanuman Janam Katha in Gujarati : હનુમાનજીની જન્મ કથા

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

Hanuman Jayanti 2026 Date: હનુમાન જયંતિ ક્યારે છે, 1 કે 2 એપ્રિલ? તારીખને લઈને મૂંઝવણ કરો દૂર, જાણી લો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ

Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ

કષ્ટભંજન હનુમાન મંદિર : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

આગળનો લેખ
Show comments