Biodata Maker

સૂતેલા હનુમાનનું મંદિર

રાજકોટના શ્રીબડે બાલાજી હનુમાન

જનકસિંહ ઝાલા
ધર્મયાત્રામાં આ વખતે અમે આપને લઈ જઈએ છીએ, ગુજરાતના રાજકોટ શહેર સ્થિત રામભક્ત હનુમાનના મંદિર. રાજકોટના કોઠારિયા રોડ પર સ્થિત શ્રીબડે બાલાજીના નામથી પ્રસિદ્ધ આ મંદિરની ખાસિયત એ છે કે, તેમાં હનુમાનજીની પ્રતિમા સૂતેલી સ્થિતિમાં વિદ્યમાન છે. આ કારણે આ મંદિર સૂતેલા હનુમાનના નામથી પણ સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રસિદ્ધ છે.

આજથી આશરે ચાલીસ વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરના પુજારી કમલદાસજી મહારાજ ગુરૂ સર્વેશ્વરદાસજી મહારાજ કહે છે કે, ચાલીસ વર્ષ પહેલા આ સ્થળ પર અનુષ્ઠાન કરતી વેળાએ તેમને હનુમાનજીના સર્પાકૃતિના રૂપમાં દર્શન થયાં, જેને જોઈને તે ઉભા થઈ ગયાં અને તેમનું અનુષ્ઠાન ખંડિત થઈ ગયું.

બાદમાં એક દિવસ સ્વયં હનુમાનજીએ તેમને સ્વપ્નમાં દર્શન આપીને મંદિર નિર્માણ માટે પ્રેરિત કર્યા. જો કે, પ્રથમ અનુષ્ઠાન દરમિયાન તેમને સર્પાકૃતિમાં હનુમાનજીના દર્શન થયાં હતાં એટલા માટે તેમણે કેટલાક ભક્તજનોની આર્થિક મદદથી અહીં પર સૂતેલા હનુમાનની પ્રતિમા બિરાજમાન કરી. પવિત્ર ઔષધી અને મિશ્રિત ધાતુથી બનેલી આ પ્રતિમાની ઉંચાઈ 21 ફૂટ અને પહોળાઈ 11 ફૂટ છે.


શરૂઆતમાં આ મંદિરના નિર્માણમાં ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ ધીરે ધીરે આ મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ ગયું. આજે અહીં પ્રતિદિન અસંખ્ય ભક્તજન દર્શનાર્થે આવે છે. રામનવમી અને હનુમાન જયંતિ પર તો અહીં લોકોનો મેળો ભરાય છે. આ દિવસે અહીં એક વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે.

janak zala
ભક્તજનોને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતા જ નંદી મહારાજ અને એક મોટી શિવલિંગના દર્શન થાય છે. જેને કમલેશ્વર મહાદેવના નામથી લોકો જાણે છે. મંદિરની અંદર બનેલા ઝરૂખા પરથી ભક્તો નીચે સૂતેલા હનુમાનજીના દર્શન કરે છે.

મંદિરની દીવાલો પર કેટલાયે દેવી દેવતાઓના ચિત્રોને કોઈ અનુભવી ચિત્રકારે જીવંત રૂપ આપ્યું છે જેમાં ગુરૂ સર્વેશ્વરદાસજી મહારાજનું પણ એક ચિત્ર છે. મંદિરની અંદર રામ અને કૃષ્ણના નાના મંદિરો છે.

આ મંદિરના નામ પર એક ટ્રસ્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જે ગૌસેવા, અન્નસેવા અને ગરીબ વિદ્યાર્થીઓને નિશુલ્ક રહેવા જમવાની સુવિધા પણ પૂરી પાડે છે. કહેવાય છે કે, અહીં કદી પણ દાન માંગવામાં આવતું નથી પરંતુ સ્વયં દાતાઓ દાન દેવા માટે આગળ આવે છે. માન્યતા છે કે, અહીં પર આવનારા પ્રત્યેક ભક્તની માંગણીને બડે બાલાજી સંતોષે છે.

કેવી રીતે પહોંચશો : ગુજરાતના રાજકોટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી ઓટો રિક્ષા અથવા તો બસ દ્વારા અહીં પહોંચી શકાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Show comments