Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદારોના આંદોલનનો અંત લાવો

Webdunia
સોમવાર, 20 જૂન 2016 (12:10 IST)
હાર્દિક પટેલ બાદ હવે લાલજી પટેલની પણ ધરપકડ થઈ જતા મરણ પથારીએ પડેલા પાટીદાર અનામત આંદોલનને પુનઃર્જીવીત કરવા માટે સૌરાષ્ટ્રના પાસ કન્વીનરો  અત્યારે એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે.જે માટે ગોંડલમાં રાજ્યના પાસ કન્વીનરોની બેઠક પણ મળી હતી. તો બીજીબાજુ અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે રાજ્ય સરકારને પત્ર લખી પાટીદાર અનામત આંદોલનનો સત્વરે અંત લાવવા માટે રજુઆત કરી છે.

સિદ્ધાર્થ પટેલે સરકારને જણાવ્યુ છે કે, પાટીદાર અનામત આંદોલનને દબાવવા માટે  સરકાર જે પ્રકારે પ્રયત્નો કરી રહી છે તે પ્રયત્નો બંધ થવા જોઈએ. તેમજ આ મામલે સરકારે સત્વરે ઉકેલ આવે તે પ્રકારના નક્કર પગલા ઉઠાવવા જોઈએ. એટલુ જ નહીં સિદ્ધાર્થ પટેલે ઉમેર્યુ છે કે, સરકારે આ આંદોલનને શાંત પાડવા માટે હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિતના પાટીદાર યુવકોને જેલમુક્ત કરી દેવા જોઈએ. તેમણે આ માંગણી સરકાર સમક્ષ પણ કરી છે.

તેમાં તેમણે જણાવ્યુ છે કે, હાર્દિકની લડાઈ એ કોઈ ગેરકાયદેસર લડાઈ નથી. તે એક સામાજિક લડાઈ છે અને લોકશાહી સરકારે આવી દરેક લોક માંગોને  ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે. તેમની દરેક વાતને સ્વિકારી લેવામાં આવે તે જરુરી નથી. પરંતુ  તેમની માંગ અંગે વિચાર કરવામાં આવે અને તે પૈકી યોગ્ય માંગ સંતોષાય તે પણ જરુરી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ સહિતના અન્ય ઘણા પાટીદાર નેતાઓ કેટલાક સમયથી જેલમાં છે. ત્યારે સૌરાષ્ટ્રના ૫૬ તાલુકાના પાસ આગેવાનો દ્વારા આવતીકાલથી નવેસરથી આંદોલન શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments