Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાએ હાર્દીકને પત્ર લખ્યો

Webdunia
શુક્રવાર, 10 જૂન 2016 (15:50 IST)
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિકના 11-5-2016ના રોજ વાઘેલાને લખેલા પત્રનો જવાબ આપવામાં આવ્યો છે. આ પત્રમાં શંકરસિંહે હાર્દિક બહુ હિમ્મતથી જેલમાં દિવસો પસાર કરી રહ્યો છે, તેની નૈતિક હિમ્મતને બિરદાવી છે. તેમણે એમ પણ લખ્યું છે કે, હાર્દિક પ્રત્યે દ્વેષ રાખી ભાજપ સરકાર વર્તન કરી રહી છે, એનો બદલો પ્રજા સમય આવ્યે આપશે. ભાજપ સરકારની 10% ઇબીસીને હું 20% સુધી લઇ જવા માંગણી કરું છું. જે સમાજ દુઃખી છે, તેના પ્રત્યે સરકારે મા-બાપની ભૂમિકા અદા કરવી જોઈએ.

તેમણે એમ પણ લખ્યું છે કે, કૉંગ્રેસની સરકાર આવશે તો જરૂર ન્યાય અપાવવાની કોશિશ કરવામાં આવશે. આ પત્ર હાર્દિકના વકીલ યશવંત વાળાને વોટ્સ એપ મારફતે શંકરસિંહ વાઘેલાના કાર્યાલયથી મોકલવામાં આવ્યો છે. મોડી રાત સુધી આ પત્ર હાર્દિક સુધી લાજપોર જેલમાં પહોંચી જશે.

આ ઉપરાંત શંકરસિંહે હાર્દિક ઝડપથી જેલની બહાર આવે અને ખુલ્લી હવામાં શ્વાસ લે તેવી આશા વ્યક્ત કરી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments