Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર સમાજ નવરાત્રી નહી ઉજવીને તોફાનોમાં મૃત્યુ પામેલ પાટીદારોને આપશે શ્રદ્ધાંજલિ

Webdunia
શનિવાર, 10 ઑક્ટોબર 2015 (11:47 IST)
સરદાર એકતા સમિતિ દ્વારા વહેતા કરાયેલા સંદેશામાં જણાવાયું છે કે, જીએમડીસી ગ્રાઉન્‍ડ જ નહીં બીજા કોઇ પાર્ટી પ્‍લોટ કે ક્‍લબમાં પણ પાટીદારોએ ગરબા ગાવા માટે જવું નહીં. નવરાત્રીનું આયોજન કરાયું હોય ત્‍યાં સ્‍ટોલ કે પોસ્‍ટર પણ લગાવવા નહીં. ૨૫મીની રેલી બાદ તોફાનોમાં યુવા પાટીદારોના મૃત્‍યુ થયા હતા તેના કારણે પાટીદાર સમાજ નવરાત્રી નહીં ઉજવીને આ રીતે શ્રધ્‍ધાંજલિ પાઠવે તેવી અપીલ કરવામાં આવી છે. ક્‍લબો અને પાર્ટી પ્‍લોટના ગરબાનો બહિષ્‍કાર કરવાથી શેરી ગરબાને પણ પ્રાધાન્‍ય મળશે તેમ જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએમડીસી ગ્રાઉન્‍ડ પર છેલ્લા કેટલાય વર્ષોથી રાજય સરકાર દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. મુખ્‍યમંત્રી, મંત્રી મંડળના સભ્‍યો, જાણીતા ઉઘોગપતિઓ વિગેરે પણ તેના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેતા હોય છે અને નવ દિવસ સુધી ભવ્‍ય રીતે યોજાતા ગરબાનો લાખોની સંખ્‍યામાં નાગરિકો લાભ લેતા હોય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments