Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shardiya Navratri 2024: નવરાત્રિમાં જવ કેમ વાવવામાં આવે છે ? જાણો તેની પાછળ જોડવામા આવતી માન્યતા

Webdunia
શનિવાર, 28 સપ્ટેમ્બર 2024 (13:22 IST)
jawara
નવરાત્રિથી ભારતમાં ફેસ્ટિવલની ઝડી લાગ જશે. આ વખતે શારદીય નવરાત્રિની શરૂઆત 3 ઓક્ટોબરથી થઈ રહી છે અને તેનુ સમાપન 11 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેમા ચૈત્ર અને શારદીય નવરાત્રી મહત્વપૂર્ણ થાય છે. બીજી બાજુ માઘ અને અષાઢના નવરાત્ર ગુપ્ત માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રી વ્રત યોગી સાધુ રાખે છે. આ વર્ષે શારદીય નવરાત્રિમાં 3 ઓક્ટોબર 2024થી શરૂ થઈ રહી છે અને આ 11 ઓક્ટોબર સુધી ચાલશે.  નવ દિવસ ઉપવાસ રાખીને મા દુર્ગા દેવીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે અનેક લોકો જવ વાવે છે. આવો જાણીએ નવરાત્રિના પહેલા દિવસે જવની વાવણી કેમ કરવામાં આવે છે. 
 
નવરાત્રીમાં જવ કેમ વાવવામાં આવે છે 
શાસ્ત્રો મુજબ જ્યારે સૃષ્ટિની રચના થઈ તો સૌથી પહેલા જવનો પાક લેવામાં આવ્યો હતો. તેથી જ્યારે પણ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે તો હવનમાં જવ ચઢાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ જવને બ્રહ્મા માનવામાં આવે છે. જવ કેટલી ઝડપથી વધી રહ્યા છે તેની પાછળ અનેક શુભ અશુભ સંકેત છિપાયેલા રહે છે. 
 
જવ આપે છે ભવિષ્યનો સંકેત 
જવ જો ઝડપથી વધે તો ઘરમાં સુખ સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે. જો જવ ઘટ્ટ નથી ઉગતી કે સારી રીતે ઉગતી નથી તો તેને ઘર માટે અશુભ માનવામા આવે છે. એટલુ જ નહી જવ કાળા રંગના કે વાંકા ચૂંકા ઉગે તો અશુભ માનવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે જવનો રંગ નીચેથી અડધો પીળો અને ઉપરથી અડધો લીલો હોય તો તેનો મતલબ આવનારુ વર્ષ અડધુ સારુ રહેશે.  બીજી બાજુ જવનો રંગ નીચેથી અડધુ લીલુ અને ઉપર થી અડધુ પીળુ હોય તો તેનો મતલબ વર્ષની શરૂઆત સારી રહેશે પણ પછી તમને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. એટલુ જ નહી તમારા વાવેલા જવ સફેદ કે લીલા રંગના થઈ રહ્યા છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન - આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

Indira Ekadashi 2024 Bhog: ઈન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને લગાવો આ ભોગ, જીવનમાં બરકત કાયમ રહેશે, નોંધી લો આ પારણાનો સમય

51 Shaktipeeth: જય દુર્ગા વૈદ્યનાથ દેવઘર ઝારખંડ શક્તિપીઠ - 24

Chandraghanta temple - મા દુર્ગાના આ મંદિરમાં પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments