Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri 2023 : નવ દિવસના વ્રત દરમિયાન ન કરશો આ ભૂલ નહી તો વજન ઘટે નહી વધી જશે

Webdunia
રવિવાર, 15 ઑક્ટોબર 2023 (16:42 IST)
વ્રત ફક્ત તમને સકારાત્મકતા જ નથી આપતુ પણ તમારા આરોગ્ય માટે પણ ખૂબ સારુ હોય છે. મોટાભાગના હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ જરૂર કરવો જોઇએ. તેનાથી બોડી ખુદને ડિટૉક્સ કરી લે છે. આવી સ્થિતિમાં જેઓ વધારે વજન ધરાવે છે અને તેઓ જલ્દી તેને ઓછુ કરવા માંગે છે તો તેમને માટે નવરાત્રીનુ વ્રત (Navratri Vrat) એક સોનેરી તક છે, કારણ કે નવ દિવસના ઉપવાસ શરીરને  વધારાની કેલરીથી બચાવી શકાય છે.
 
પરંતુ ઘણા લોકો ઉપવાસ કરતી વખતે ખોરાક તો છોડી દે છે, પરંતુ તેના સ્થાને તેઓ એવી વસ્તુઓ ખાય છે, જે તેમના વજનને ઘટાડવાને બદલે વધારે છે. જો તમે પણ વજન ઘટાડવાના ઈરાદાથી નવરાત્રીનો ઉપવાસ કરી રહ્યા છો, તો તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમે પણ તે ભૂલ તો નથી કરી રહ્યા ને, જેના કારણે તમારું વજન ઘટવાને બદલે વધી રહ્યું છે
 
ફળ અને શાકભાજીને નજરઅંદાજ કરવાની ભૂલ 
 
ઉપવાસ દરમિયાન ફળો અને શાકભાજીનું વધુ સેવન કરવું જોઈએ કારણ કે તેમાં તમામ પોષક તત્વો હોય છે જે શરીરને ઉર્જા આપે છે. વળી, તેઓ વજન વધારતા નથી. પરંતુ લોકો તેની જગ્યાએ શીરો, સાબુદાણાની ખીર, મખાનાની ખીર, બરફી, લસ્સી વગેરે લે છે. આનાથી ચોક્કસ પેટ ભરેલુ લાગે છે. પરંતુ વધુ મીઠાઈ ખાવાથી શરીરને વધુ કેલરી મળે છે અને વજન વધે છે. જો તમે વજન પ્રત્યે સભાન હોવ તો તમારે ઓછામાં ઓછી ખાંડ લેવી જોઈએ. તેથી, ઉપવાસ દરમિયાન વધુમાં વધુ ફળો અને શાકભાજી ખાવ. 
 
ઘી અને તેલનુ વધુ સેવન 
 
આજકાલ ઉપવાસની તમામ વાનગીઓ નેટ પર પણ ઉપલબ્ધ છે. ઉપવાસ દરમિયાન, લોકો કટ્ટુના પકોડા, રાજગરાની પુરી, સાબુદાણાની ખીચડી, બટાકાની ટિક્કી, સાબુદાણા વડા, રાજગીર પનીર પરાઠા, દહીં-બટાકા વગેરે ખાય છે. આ બધી વસ્તુઓમાં ઘણું ઘી અને તેલ નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણે સામાન્ય દિવસો કરતાં પણ વધુ ઘી અને તેલનું સેવન કરીએ છીએ. તેના કારણે શરીરમાં ચરબી વધે છે અને વજન ઓછું થવાને બદલે વધે છે.
 
ઓછું પાણી પીવુ 
 
જો તમે ખરેખર વજન ઘટાડવા માંગો છો, તો ઓછું પાણી પીવાની ભૂલ ન કરો. પાણી તમારા શરીરને ડિટોક્સ કરે છે અને તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. તેથી પાણી પીને શરીરને હાઇડ્રેટેડ રાખો.
 
બહારનો ખોરાક ખાવો 
 
આજકાલ બજારમાં ઉપવાસનો સામાન પણ પેકેટમાં વેચાય છે. બટાકાની ચિપ્સ, મખાણા, પાપડ વગેરે તમામ વસ્તુઓ વેચાય છે. આ વસ્તુઓ તમારું વજન વધારવાનું કામ કરે છે. તેથી તેને ખાશો નહીં. પેકેટબંધ ફૂડને બદલે ઘરે બનાવેલી વસ્તુઓ ખાવ. 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments