Dharma Sangrah

નવરાત્રી વિશેષ - નવરાત્રીના ઉપવાસમાં શુ ખાવુ શુ નહી ? જરૂર જાણી લેજો

Webdunia
સોમવાર, 22 સપ્ટેમ્બર 2025 (16:17 IST)
જો તમે નવરાત્રીમાં પ્રથમ વખત 9 દિવસના ઉપવાસ કરી રહ્યા છો, તો સ્વાભાવિક છે કે તમારે આ દરમિયાન તમારા ખોરાકની વિશેષ કાળજી લેવી પડશે, નહીં તો ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક ઓછી ઉર્જા, ક્યારેક નબળાઈ તમને પરેશાન કરતી રહેશે. અને 9 દિવસના ઉપવાસ એક -બે દિવસમાં સમાપ્ત કરવા પડશે. તેથી ઉપવાસમાં પણ એવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જે તમારું પેટ તો ભરેલું જ રાખે જ છે પણ સાથે જ તમારા ઉર્જા સ્તરને પણ જાળવી રાખે છે. તો ચાલો જાણીએ કે ઉપવાસ દરમિયાન શું ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ 
 
લોટ અને અનાજ - આરારોટનો લોટ, સાબુદાણા, સાબુદાણાનો લોટ, કટ્ટુનો લોટ, રાજગીરાનો લોટ, શિંગોડાનો લોટ, સામા ચાવલ(મોરિયો).
 
ફળ - કેળા, દ્રાક્ષ, નારંગી, પપૈયું, શક્કરટેટી, તમામ પ્રકારના ફળો ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. આ ફળો રસ ભર્યા હોવાથી શરીરમાં પાણીની કમી પણ થવા દેતા નથી અને એનર્જી પણ આપે છે. 
 
શાકભાજી - કોળુ, બટાકા, અરબી, શક્કરીયા, ગાજર, કાચા કેળા, કાકડી અને ટામેટા ફક્ત ઉપવાસ દરમિયાન જ ખાઈ શકાય છે.
 
ડેરી પ્રોડક્ટ  - દૂધ, દહીં, પનીર, ઘરે બનાવેલું માખણ, ઘી, કન્ડેન્સ્ડ મિલ્કનું સેવન કરી શકાય છે.
 
સુકોમેવો  - ઉપવાસ દરમિયાન ઉર્જાવાન રહેવા માટે સુકોમેવો શ્રેષ્ઠ છે. કાજુ, બદામ, પિસ્તા, મગફળી, તરબૂચના બીજ, કિસમિસ, અખરોટ જે પણ મળે તે ખાઈ શકાય છે. આને તમે ઉપવાસ માટે બનાવેલી વાનગીઓમાં પણ નાખીને ખાઈ શકો છો. 
 
સેંઘાલૂણ, ખાંડ, મધ, ગોળ, જીરું, લાલ મરચું પાવડર, સરસવ, કેરી અને તમામ પ્રકારના આખા મસાલાનો ઉપયોગ ઉપવાસ દરમિયાન તૈયાર કરેલા ભોજનમાં કરી શકાય છે.
 
ગાર્નિશિંગ માટે - લીલા મરચાં, લીલા ધાણા, આદુ અને લીંબુનો રસ વાપરી શકાય છે. 
 
કુકિંગ ઓઈલ - જોકે મોટાભાગની ઉપવાસની વાનગીઓ ઘીમાં જ તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ સિવાય તમે સૂર્યમુખી અને સીંગતેલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. પણ ઘીમાં બનેલા ભોજનનો સ્વાદ જુદો અને એકદમ  પૌષ્ટિક પણ હોય છે.
 
નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ વસ્તુઓનું સેવન ન કરો
 
નવરાત્રીના ઉપવાસ દરમિયાન ડુંગળી અને લસણ ખાવાનું સંપૂર્ણપણે ટાળો.
 
ઘઉંનો લોટ, મેદો, ચોખા, સોજી અને ચણાનો લોટ ઉપવાસ દરમિયાન ન ખાવો જોઈએ. 
 
ફાસ્ટિંગ ફૂડમાં પણ સામાન્ય મીઠું વપરાતું નથી. ફક્ત સેંધાલૂણનો જ ઉપયોગ કરવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

આગળનો લેખ
Show comments