rashifal-2026

જો ગરબાનો નવ દિવસ સુધી આનંદ ઉઠાવવો છે તો બનાવો Diet plan (see Video)

Webdunia
રવિવાર, 25 સપ્ટેમ્બર 2016 (16:04 IST)
નવરાત્રીમાં ગરબા રમવા ગુજરાતની પરંપરા છે.  હવે આ પરંપરા અન્ય રાજ્યોની ફેશન બની ગયુ છે. તેથી જ તો નવરાત્રી આવતા જ દરેક શહેરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.  પરંતુ અનેક કલાકો સુધી ગરબા રમવાથી તમારી એનર્જી લેવલ પર ઘણી અસર પડે છે. આવામાં જરૂરી છે કેટલીક વાતોનું ધ્યાન આપવામાં આવે જેથી સ્ટેમિના પણ કાયમ રહે. 
 
- મોડી રાત સુધી ગરબા ચાલે છે તેથી આ દરમિયાન પણ આઠ કલાકની ઊંધ જરૂર લઈ લો. જો રાત્રે મોડા સૂવો છો તો દિવસે ઊંઘ પૂરી કરો. 
 
- ગરબા રમવા દરમિયાન પરસેવો વધુ આવે છે તેથી દિવસમાં 12-15 ગ્લાસ પાણી જરૂર પીવો.  
 
- જો તમે રોજ ગરબા રમી રહ્યા છો તો તમારા સામાન્ય આહારમા& 300-400 કેલોરી વધુ લો. 
 
- સવારે ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને 1/4 ચમચી મધ મેળવીને જરૂર પીવો. 
 
- સવારે 10-11 વાગ્યેની વચ્ચે એવા ફળોનું સેવન કરો જેમા વધુ કેલોરી હોય. 
 
- બપોરે ભોજનમાં 2 રોટલી મિક્સ લોટની(multi grain), શાક, દહી, સલાડ અને કંઈક ગળ્યુ લો. બપોરે મિલ્ક શેક, જ્યુસ કે નારિયળના પાણીમાંથી કોઈ એક ડ્રિંક જરૂર લો. 
 
- ગરબા રમવા જવાના 2-3 કલાક પહેલા બાફેલા બટાકા, સાબુદાણાની ખીચડી , રોસ્ટેડ ગ્રાઉંડંટ્સ જેવા વ્યંજનો અને ફળોનુ સેવન કરો. 
 
- ગરબા રમવા દરમિયાન દર અડધો કલાકના અંતરે ગ્લુકોઝ પીતા રહો. આનાથી કમજોરી નથી આવતી. 
 
- ગરબા રમીને આવ્યા પછી હુંફાળા પાણીથી પગ જરૂર ધુવો. આનાથી શરીર અને પગને ઘણો આરામ મળશે. 
 
- રાત્રે સૂતા પહેલા પણ એક ગ્લાસ દૂધનુ સેવન જરૂર કરો. 
 
- ગરબા દરમિયાન તળેલો ખોરાક, ફાસ્ટ ફુડ અને બજારનુ ખાવાનુ બની શકે ત્યા સુધી એવોઈડ કરો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

મખાના ચીલા બનાવવાની રીત

Eid Special Recipe- સેવઈ પાયસમ

કિડની સાફ કરવા માટે નેચરલ ટીપ્સ, આ વસ્તુઓથી કરો કિડનીની સફાઈ, નીકળી જશે બધા ઝેરી પદાર્થ

Easy Paneer Ghotala Recipe - પનીર ઘોટાલા બનાવવાની રેસીપી

ગંગુ અને તેનાલીરામની વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang - આજનુ પંચાંગ - 17 માર્ચ

માસિક શિવરાત્રીનાં દિવસે કરો આ વિશેષ ઉપાય, જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી મહાદેવ અપાવશે છુટકારો

Happy Chaitr Navratri 2026 Wishes - ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર તમારા મિત્રો અને સગાસબંધીઓને કહો હેપી ચૈત્ર નવરાત્રી

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ પહેલા ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, માં અંબાની રહેશે વિશેષ કૃપા, ઘરમાં ધન-ધાન્યમાં રહેશે બરકત

આગળનો લેખ
Show comments