Webdunia - Bharat's app for daily news and videos

Install App

CM બનતા જ ચરણજીત સિંહ એક્શનમાં- કેન્દ્રને કૃષિ કાયદો પરત લેવાની કરી માંગ, પંજાબમાં ખેડૂતોના બિલ કર્યા માફ

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (14:32 IST)
પંજાબના મુખ્યમંત્રી પદની શપથ લીધા પછી તરતજ ચરણજીત સિંહ એક્શન મોડમાં આવી ગયા. ચન્નીએ પોતાની પહેલી પ્રેસ કૉન્ફ્રેસ દરમિયાન જ કેન્દ્ર સરકારને ત્રણેય ખેડૂતોના બીલ પરત લેવાની માંગ કરી છે.  ચન્નીએ જણાવ્યું છે કે તેમને હાઇકમાન્ડ તરફથી 18 મુદ્દાઓનુ લિસ્ટ મળ્યુ છે, જેમને તેઓ તેમના બાકીના કાર્યકાળ દરમિયાન પૂર્ણ કરશે. મુખ્યમંત્રી બનતાની સાથે જ ચન્નીએ રાજ્યના ખેડૂતોના બાકી પાણી અને વીજળીના બિલ માફ કરવાની મોટી જાહેરાત કરી. પત્રકાર પરિષદમાં ચન્ની સાથે હરીશ રાવત અને નવજોત સિંહ સિદ્ધુ પણ હાજર હતા.
 
ચન્નીએ ખેડૂતો સાથે પોતાની વાતચીત શરૂ કરી અને કહ્યું કે તેમની સરકાર ગરીબોની સરકાર છે અને તે ખેડૂતોની સાથે છે. ચન્નીએ કહ્યું કે જો ખેડૂત ડૂબી જશે તો દેશ ડૂબી જશે, હું ખેડૂતને કોઈ નુકસાન થવા નહીં દઉં. તેમણે કહ્યું કે પંજાબ સરકાર ખેડૂતોના સંઘર્ષમાં તેમની પડખે કાયમ ઉભી છે અને ઉભી રહેશે અને રાજ્યમાં ખેડૂતને નબળો પડવા દેવામાં નહી આવે. ચન્નીએ કહ્યું કે અમે ખેડૂતોને દરેક રીતે ટેકો આપીએ છીએ. ચન્નીએ એમ પણ કહ્યું કે જો ખેડૂતોને કંઈ પણ થશે તો હુ મારી ગરદન આગળ ધરી દઈશ. 
 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments