Dharma Sangrah

વરુણ ગાંધીને ટિકિટ ન મળવા પર શું બોલ્યાં મેનકા ગાંધી?

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2024 (14:34 IST)
ભાજપનાં વરિષ્ઠ નેતા અને યુપીના સુલ્તાનપુરનાં સાંસદ મેનકા ગાંધીએ પીલીભીતથી તેમના પુત્ર વરુણ ગાંધીને ટિકિટ ન આપવા સામે પોતાની પ્રતિક્રિયા આપી છે.
 
ઉત્તર પ્રદેશમાં સુલ્તાનપુરમાં પોતાની દસ દિવસની યાત્રા દરમિયાન મેનકા ગાંધીએ કહ્યું કે તેઓ ભાજપમાં રહીને ખુશ છે.
 
મેનકા ગાંધીએ કહ્યું, “ભાજપમાં છું એટલે ખુશ છું. હું અમિત શાહ, પીએમ મોદી તથા નડ્ડાજીનો ટિકિટ આપવા બદલ આભાર પ્રકટ કરું છું. ટિકિટનું એલાન મોડું થયું તેથી દુવિધા હતી કે હું ક્યાંથી લડીશ, પીલીભીતથી કે સુલ્તાનપુરથી? પણ પાર્ટીએ જે નિર્ણય લીધો તેનાથી હું ખુશ છું.”
 
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વરુણ ગાંધીને ટિકિટ નથી આપવામાં આવી ત્યારે તેઓ શું કરશે? તો તેના જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું, “આ સવાલ તમે તેમને જ પૂછો કે તેઓ શું કરશે? અમે ચૂંટણી બાદ તેના પર વિચાર કરીશું. અત્યારે સમય નથી.”
 
તેમણે કહ્યું કે તેઓ સુલ્તાનપુર આવવાથી ખુશ છે કારણ કે કોઈ પણ સાંસદે અહીં બીજીવાર ચૂંટણી નથી જીતી.
 
ટિકિટ મળ્યા બાદ તેઓ સુલ્તાનપુર પહેલીવાર આવ્યાં હતાં. તેઓ પોતાની દસ દિવસની યાત્રા દરમિયાન પોતાના લોકસભા વિસ્તારમાં 101 ગામોની મુલાકાત લેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments