Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત રમખાણોમાં વાયરલ થઈ હતી આ તસ્વીર, જાણો શુ છે તેની હકીકત

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2017 (17:31 IST)
ગુજરાતમાં 2002માં થયેલ રમખાણોમાં બે ચેહરા હતા અશોક પરમાર (અશોક મોચી) અને કુતુબુદ્દીન અંસારીનો. આ બંનેની એક તસ્વીર પણ વાયરલ થઈ હતી. જેમા અશોક પરમાર પોતાના હાથમાં લોખંડની રોડ લઈને ઉભો હતો અને કુતુબુદ્દીન અંસારી હાથ જોડીને દયાની ભીખ માંગતા ભયથી કાંપી રહ્યો હતો. વિડંબના એ છે કે આ બંને ચેહરા દેશના લોકોના મનમાં 2002ના રમખાણોની એક યાદના રૂપમાં વસી ગઈ છે. પણ હકીકતમાં આ બંનેને ગુજરાતના 2002ના રમખાણો સાથે કોઈ સંબંધ જ નહોતો. 
 
શુ કહે છે સરકારી રેકોર્ડ - સરકારના રેકોર્ડ મુજબ ન તો અશોક પરમાર 2002ના ગુજરાતના રમખાણોના આરોપી છે કે ન તો કુતુબુદ્દીન અંસારી આ રમખાણોના પીડિત છે. અશોક પરમારની તસ્વીર શાહપુરમાં એ સમયે કેમેરામાં કેદ થઈ જ્યારે ગોધરામાં રમખાણો ચરમ પર હતા. ત્યારબાદ તેની તસ્વીર નેશનલ ઈંટરનેશનલ મીડિયામાં જોવા મળી અને તે ગુજરાતમં મુસ્લિમ સમુહના લોકોને નફરત કરવાનુ એક પ્રતીક બની ગઈ. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી આવી રહેલ સાબરમતી એક્સપ્રેસની કે બોગીને હિંસક ભીડે આગના હવાલે કરી દીધી હતી. જેને કારણે 59 મુસાફરોના મોત થયા હતા. જેમા કારસેવકોનો પણ સમાવેશ હતો. 
 
પરમારે જણાવ્યુ કે એ દિવસની હકીકત અશોક પરમાર (42) એક મોચી છે. જે થોડા આસપાસના લોકો મુજબ શાહપુરમાં ફુટપાથ પર રહે છે. અશોક પરમારે કહ્યુ - મે ખોટા સ્થાન પર ભાવ બતાવ્યા. મને આ રીતે ઉભા રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ. રમખાણો સાથે મારે કોઈ લેવા દેવા નથી. એટલુ જ નહી મોચી રમખાણોના કોઈપણ કેસના આરોપી નથી. છતા આજે પણ તે ગુજરાત રમખાણોના એક ચેહરાના રૂપમાં ઓળખાય છે. અંસારીની તસ્વીરની આ હકીકતની બીજી બાજુ.. અંસારી ગુજરાતમાં મુસલમાનો પર થનારા અત્યાચરનુ પ્રતીક બન્યા. જ્યારે તેમની હાથ જોડીને રડતી એક તસ્વીર વાયરલ થઈ. 
 
આ તસ્વીરમાં તેઓ રેપિડ એક્શન ફોર્સને વિનંતી કરી રહ્યા હતા કે રાખિયાલમાં તેમના પરિવારને રમખાણોથી બચાવવામાં આવે. અંસારીના પરિવારને બચાવી લેવામાં આવ્યુ. ત્યારબાદ અંસારીને ગુજરાત રમખાણોમાં એક પીડિત ચેહરાના રૂપમાં ઓળખવા લાગ્યા.  અંસારી (49) એક દરજી છે. જે 2001માં અમદાવાદ ગયા હતા.  તેમના ત્રણ બાળકો છે અને તે હાલ રખિયાલમાં જ એક નાનકડી કપડા સીવવાની દુકાન ચલાવે છે.  સરકાર અંસારીને પીડિત નથી માનતી. અંસારીએ જીલ્લા કલેક્ટર ઓફિસમાં રમખાણોથી થયેલ નુકશાનની માહિતી આપી પણ તેઓ એક ભાડાના મકાનમાં રહેતા હોવાથી (!!) સરકાર પાસે તેમના નુકશાનનો કોઈ રેકોર્ડ નહોતો. અંસારીનુ કહેવુ છે કે રમખાણોને કારણે તેમનુ બધુ જ નુકશાન થઈ ગયુ હતુ.  જેમની કિમંત લગભગ 60,000 રૂપિયા બતાવી. પણ સરકારની તરફથી તેમને કોઈ વળતર નહોતુ મળ્યુ. આટલુ જ નહી તેમનુ નામ ક્યારેય રમખાણ પીડિતોમાં સામેલ નહોતુ કરવામાં આવ્યુ. 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments