Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુત્રએ પિતાના કર્યા 32 ટુકડા, ખેતરમાં પાણી ન નાખવાના કારણે થયુ ઝગડો

Webdunia
બુધવાર, 14 ડિસેમ્બર 2022 (12:19 IST)
કર્નાટકમાં દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંદ જેવા કેસ સામે આવ્યુ છે. રાજયના બાગલકોટ જીલ્લામાં એક વ્યક્તિએ તેના પિતાની હત્યા કરી તેના 32 ટુકડા કરી નાખ્યા. હત્યા કર્યા બાદ લાશને બોરવેલમાં ફેંકી દીધી હતી. હત્યાનો ખુલાસો થતાં પોલીસે જેસીબીની મદદથી બોરવેલ ખોદીને શરીરના અંગો બહાર કાઢ્યા હતા. પોલીસે આરોપી બિઠ્ઠલ કુલાલની ધરપકડ કરી છે.
 
ગયા મંગળવારે, બિથલને તેના 54 વર્ષીય પિતા પરશુરામ કુલાલ સાથે શેરડીના ખેતરમાં પાણી ન નાખવાને કારણે ઝઘડો થયો હતો. આ દરમિયાન પરશુરામે તેના પુત્રને પણ માર માર્યો હતો. આનાથી ગુસ્સે થઈને આરોપી બિથલે તેના પિતાને લોખંડના સળિયા વડે માર્યો, જેના કારણે પરશુરામનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. 
 
નશામાં ધૂત પિતા હંમેશા પુત્રને મારતા હતા
પોલીસે જણાવ્યું કે આરોપીએ હત્યાની કબૂલાત કરી છે. બિથલે જણાવ્યું કે જ્યારે તે દારૂના નશામાં હતો ત્યારે તેના પિતા હંમેશા તેને મારતા હતા, તેની સાથે દુર્વ્યવહાર કરતા હતા, જે તે સહન કરી શકતો ન હતો. મૃતકને બે પુત્ર છે. મોટા પુત્ર અને પત્ની છેલ્લા ઘણા સમયથી લડાઈના કારણે અલગ રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ક્યારે આવશે વાવાઝોડુ દાના? પવનની ઝડપ 35થી 120KM સુધી પહોંચશે, આ 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ પ્રદૂષણ, મોટા ભાગના વિસ્તારોમાં હવા 'ખૂબ ખરાબ'

પીએમ મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલામાં કેજરીવાલની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

હિઝબોલ્લાહ પર ઇઝરાયેલે 25 જેટલાં ઠેકાણાં ઉપર હવાઈ હુમલા

કોટામાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી; કાચ તોડીને બાળકોને બહાર કાઢ્યા

આગળનો લેખ
Show comments