Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chhattisgarh News: કોરોનાની બીકથી ઝેર પી ગયો પરિવાર

Webdunia
ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (00:24 IST)
Durg News: છત્તીસગઢના દુર્ગ જિલ્લાના જમુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેર પી લીધું છે. આ સનસનાટીભર્યા બનાવમાં પિતા-પુત્રીના મોત થયા છે. માતા-પુત્રીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ ઘટના 25મી ડિસેમ્બરની નાતાલની રાત્રે બની હોવાનું કહેવાય છે. હાલ આ આત્મઘાતી પગલું ભરવાનું કારણ જાણવા મળ્યું નથી અને હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
 
એક જ પરિવારના ચાર લોકોએ પીધું ઝેર  
 
દુર્ગ જિલ્લાના જમુલ સ્થિત લક્ષ્મીપરામાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેર પી લીધું છે. આ સનસનાટીભર્યા બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કહેવામાં આવી રહ્યું છે કે પતિ, પત્ની અને બે બાળકોએ સાથે મળીને ઝેર પી લીધું છે. આ ઘટનામાં પિતા-પુત્રીના મોત થયા છે.જ્યારે માતા-પુત્રીની હાલત નાજુક છે. માતા અને પુત્રી બંનેને ભિલાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, વોર્ડ 4 લક્ષ્મીપરા જામુલમાં રહેતા હેમલાલ વર્મા (40 વર્ષ) ભિલાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના કોહકામાં પંપ ઓપરેટર છે. તેના ઘરમાં તેના માતા-પિતા નીચે રહેતા હતા અને તે તેની પત્ની જ્હાન્વી (38 વર્ષ) અને પુત્રીઓ પ્રિયા (14 વર્ષ), મુસ્કાન (11 વર્ષ) અને રિતિકા (7 વર્ષ) સાથે ઉપરના માળે રહેતા હતા. રાબેતા મુજબ તેઓ સમયસર ડ્યુટી માટે ઘરેથી નીકળ્યા હતા અને સોમવારે રાત્રે 9 વાગ્યે ઘરે પરત ફર્યા હતા.
 
પરિવારજનોએ જણાવ્યું કે પિતાએ બધાને ખવડાવ્યો હતો પ્રસાદ 
 
પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે રાત્રે ઘરે પરત ફર્યા બાદ હેમલાલ વર્માએ તેમની પત્નીને કહ્યું કે કોઈ બાબાએ તેમને પ્રસાદ આપ્યો છે. જો તેઓ આ ખાશે તો ભવિષ્યમાં તેઓ કોરોના કે અન્ય કોઈ બીમારીનો ભોગ નહીં બને. જ્યારે તેની પત્નીએ પ્રસાદ ખાવાની ના પાડી તો તેણે તેને બળજબરીથી પ્રસાદ ખવડાવ્યો. આ પછી, મોટી દીકરીઓ પ્રિયા અને મુસ્કાનને પ્રસાદ ખવડાવ્યા પછી, તેણે પોતે જ ખાધો. થોડા કલાકો પછી, રાત્રે 11 વાગ્યે, તેઓને ઉલ્ટી થવા લાગી. ઉલ્ટી થતી જોઈને જ્હાન્વી નીચે તેના સાસુ અને સસરા પાસે ગઈ અને આખી વાત કહી. પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ ખેમલાલને મૃત જાહેર કર્યો. આ પછી જ્હાન્વી, પ્રિયા અને મુસ્કાનને સ્પર્શ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન મંગળવારે બપોરે 3 વાગ્યે પ્રિયાએ પણ દમ તોડ્યો હતો. પરિવારે આટલું મોટું પગલું કેમ ભર્યું તે હાલ જાણી શકાયું નથી.
 
પોલીસે કેસની તપાસ શરૂ કરી  
 
મંગળવારે એક ઘરમાંથી બે લોકોના મોત બાદ જામુલ પોલીસ એક્શનમાં આવી હતી.પોલીસ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ પરિવારના સભ્યો અને નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે. હાલ પોલીસ આ મામલે કંઈ પણ કહેવાનું ટાળી રહી છે. દુર્ગના એસએસપી રામગોપાલ ગર્ગે જણાવ્યું કે ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી પિતા-પુત્રીના મોત થયા છે, માતા-પુત્રીની હાલત ગંભીર છે, કારણ હજુ જાણી શકાયું નથી, તપાસ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments