Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ કોરોના પરત આવી રહ્યો છે ? તેલંગાનામાં કોરોનાનો કહેર, સાંગા રેડ્ડી જીલ્લાના એક જ શાળાના 45 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોવિડ-19 પોઝિટીવ

Webdunia
સોમવાર, 29 નવેમ્બર 2021 (15:38 IST)
તેલંગાનાની એક શાળામાં કોરોનાના 40થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યના સાંગા રેડ્ડી જીલ્લાના મહાત્મા જ્યોતિબા ફુલે પછાત વર્ગ કલ્યાણ્ણ સ્કુલની 45 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝીટીવ જોવા મળી છે. એક ટીચર પણ આ મહામારીના ભોગ બન્યા છે. સંગારેડ્ડી જીલ્લાના ડીએમ અને એચઓ ડો. ગાયત્રીના મુજબ વિદ્યાર્થીઓને આઈસોલેશનમા મુકવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. 
 
 
તેલંગાના સરકારે રવિવારે કહ્યુ કે તેમને કોરોના વાયરસના નવા સ્વરૂપ એમિક્રોનના સંકટને જોતા પોતાની નજર રાખવાની ગતિવિધિ તેજ કરી છે અને ટીમોને સતર્ક કરી દીધી છે. 
 
આ દરમિયાન તેલંગાનામાં રવિવારે કોરોના વાયરસના સંક્રમણના 135 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા 6,75,614 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત એક અન્ય રોગીનુ મોત થતા જ મૃતકોની સંખ્યા 3,989 સુધી પહોંચી છે. રાજ્ય଒ના જન સ્વાસ્થ્ય નિદેશક જી શ્રીનિવાસે પત્રકારોને કહ્યુ કે દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના હોંગકોંગ અને કેટલાક યુરોપીય દેશોમાં નવા ઓમિક્રોન સ્વરૂપની જાણ થઈ છે અને તેથી ત્યાથી ટીકાકરણ કરાવીને આવનારા લોકોને પણ ઘરમાં આઈસોલેટ કરી નજરબંધ કરાશે. 
\\\
નવા વેરિએટ વચ્ચે ટીકાકરણ પર જોર 
 
તેમણે કહ્ય કે જે લોકોનુ ટીકાકરણ થયુ નથી કે એક જ રસી જેમણે લગાવાઈ છે તેમની તપાસ કરવામાં આવશે અને જો કોઈ સંક્રમિત જોવા મળ્યા તો તેમના સેમ્પલને જીનોમ અનુક્રમણ માટે સીડીએફડી પ્રયોગશાળ મોકલવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગના એક બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યમાં ઉપચારાધીન રોગીઓની સંખ્યા 3535 છે. આજે કુલ   22,356 સેમ્પલની કોવિડ ચકાસણી કરવામાં આવી. 
 
તેલંગાનામાં અત્યાર સુધી 2,85,11,075 સેમ્પલ તપાસવામાં આવ્યા છે.  બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યમાં 144 લોકોના સંક્રમણથી ઘેરાયા બાદ ઠીક થઈ ચુકેલા લોકોની સંખ્યા  થઈ ગઈ છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુરાદાબાદમાં મહિલાનું ગળું કાપીને હત્યા... માથું 30 મીટર દૂરથી મળ્યું, બાળકનો મૃતદેહ પણ મળ્યો

દિલ્હીના શાહદરામાં ઘરમાં આગ, 2 લોકોના મોત

રાજસ્થાનના જયપુરમાં RSSના કાર્યક્રમ દરમિયાન છરી અને લાકડીઓથી હુમલો, 8 સ્વયંસેવકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ.

યુપીના બહરાઈચમાં શુક્રવારની નમાજ પહેલા સુરક્ષા સઘન, બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

કારખાનામાં આગ, 3 કારખાના બળીને રાખ; બહાદુરગઢમાં ભયાનક અકસ્માત

આગળનો લેખ
Show comments