Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા વિવાદ - SC એ મધ્યસ્થતા કમિટીને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

Webdunia
શુક્રવાર, 10 મે 2019 (11:15 IST)
સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ ભૂમિવિવાદ મામલે શુક્રવારે સુનાવણી કરી છે અને તેમાં મધ્યસ્થી માટે 15 ઑગસ્ટ સુધીનો સમય આપ્યો છે. મધ્યસ્થતા પ્રક્રિયાની શરૂઆત બાદ સુપ્રીમ કોર્ટમાં આ પ્રથમ સુનાવણી થઈ છે. આ સુનાવણીમાં મધ્યસ્થી સમિતિએ વધુ સમયની માગણી કરી હતી. જેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બૅન્ચે માન્ય રાખી છે.
 
આ અગાઉ જસ્ટિસ કલિફુલ્લા કમિટીએ મધ્યસ્થીને લઈને પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો હતો અને વધુ સમયની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે 8 માર્ચે પોતાના નિર્ણયમાં આ મામલે મધ્યસ્થીની મંજૂરી આપી હતી અને મધ્યસ્થીઓની નિમણૂક કરી હતી. આ મધ્યસ્થીઓમાં જસ્ટીસ કલિફુલ્લા, વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી-શ્રી રવિશંકર સામેલ છે.
 
આ વિવાદના સર્વસામાન્ય સમાધાનની શક્યતા શોધવા માટે ટોચ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ એફએમઆઈ કલીફુલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિની રચનાના 6 માર્ચના આદેશ પછી પહેલી વખત આ મામલાની સુનાવણી શુક્રવારે થશે. આ સમિતિના અન્ય સભ્યોમાં આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ અધિવક્તા શ્રીરામ પાંચૂનો સમાવેશ હતો. 
 
ટોચની કોર્ટે મધ્યસ્થતા માટે રચાયેલ આ સમિતિને ફૈજાબાદમાં બંધ રૂમમાં કાર્યવાહી કરવા અને તેને આઠ અઠવાડિયામાં પૂરો કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે બધા પક્ષોએ મધ્યસ્થતા દ્વારા સમાધાન શોધવાનો વિરોધ કર્યો હતો અને કોર્ટને કહ્યુ હતુ કે તે જ આ વિવાદમાં નિર્ણય આપે. પણ કોર્ટે કહ્યુ હતુ કે તમે એક એક વાર પરસ્પર ઉકેલ લાવવા બેસો તો ખરા. 
 
સમિતિએ ગુરૂવારે પોતાની અંતરિમ રિપોર્ટ કોર્ટને આપી દીધી. જેમા તેમણે જણાવ્યુ કે આ મુદ્દો પરસ્પર વાતચીતથી ઉકેલી શકાય છે કે નહી.  બીજી બાજુ મધ્યસ્થતા પ્રક્રિયા દરમિયાન અન્ય પક્ષોનુ શુ વલણ રહ્યુ છે. કોર્ટ આ રિપોર્ટને જોઈને નક્કી કરશે કે આ મામલે આગળ કાર્યવાહી કરવામાં આવે. 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments