Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આર્મીના આર્ટીલરી બેસ પર હુમલો, 2 આતંકી ઠાર, કેપ્ટન સહિત 3 જવાન શહીદ

Webdunia
ગુરુવાર, 27 એપ્રિલ 2017 (10:59 IST)
જમ્મુ-કાશ્મીરના કુપવાડાના પંજગામ સેક્ટરમાં આર્મી કૈપ પર આતંકી હુમલો થયો છે. આત્મઘાતી આતંકી હુમલામાં એક કેપ્ટન, એક જેસીઓ અને એક જવાન શહીદ થઈ ગયા. સુરક્ષાબળોના ઓપરેશનમાં બે આતંકી ઠાર પણ થયા. આ હુમલો સેનાના આર્ટીલરી બેસ પર થયો છે. આ આર્મી કૈપ એલઓસીથી 5 કિલોમીટર દૂર કુપવાડામાં સ્થિત છે. 
 
આ હુમલામાં ભારતીય આર્મીને પણ નુકસાન પહોંચ્યું હોવાના માધ્યોમાં અહેવાલ છે. એક અહેવાલ મુજબ પંજગામ ખાતે થયેલા આ હુમલામાં 3 જવાનો શહીદ થયા છે. જેમાં એક કેપ્ટન, એક JCO અને એક જવાન સામેલ છે. જ્યારે અન્ય ઘાયલ જવાનોને શ્રીનગર એરલિફ્ટ કરવામાં આવ્યાં છે. કાશ્મીરમાં સેના પર થયેલા આ હુમલા પર ગૃહ મંત્રાલયે એક બેઠક બોલાવી છે. જેમાં ઘાટીમાં પથ્થરબાજીની ઘટનાઓ ઉપર પણ ચર્ચા થશે. એવી પણ માહિતી છે કે હજુ બે આતંકીઓ છૂપાયેલા છે અને તેમના તરફથી થોડી થોડીવારે ફાયરિંગ થઈ રહ્યું છે.
 
સૌથી વધુ પરેશાન કરનારી વાત એ છે કે આતંકી સંગઠનોમાં જોડાતા સ્થાનિક યુવકોને કાશ્મીરના સ્થાનિક લોકોનો મોટા પાયે સમર્થન હાંસલ છે. તેઓ ભોજનથી લઈને આસરા સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ઘાટીમાં બગડતી જતી પરિસ્થિતિને લઈને રાજ્યના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ હાલમાં જ પીએમ મોદીની મુલાકાત કરી હતી.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments