Festival Posters

Singhu Border Murder Case: લખબીર સિંહની હત્યા મામલે 4 નિહંગ જેલભેગા, 2ની ધરપકડ, 2 નુ સરેંડર

Webdunia
રવિવાર, 17 ઑક્ટોબર 2021 (10:17 IST)
દેશની રાજધાની દિલ્હી(Delhi) નિકટ આવેલા સોનીપત(Sonipat)ની સિંઘુ સરહદ પર સિંઘુ બોર્ડર(Singhu Border Murder Case) પર આંદોલન સ્થળ પર ઢોર માર મારીને દલિત મજૂર લખબીર સિંહની હત્યાના કેસમાં બીજા આરોપીની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. જ્યારબાદ અન્ય 2 આરોપીઓએ પોલીસ સમક્ષ સરેંડર કરી દીધુ.  મૃતકના સંબંધીઓએ હુમલાખોરોના અનુશાસનના દાવા પર સવાલ ઉઠાવ્યા છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
 
હકીકતમાં, આ દરમિયાન, પંજાબના તરન તારન જિલ્લાના ગામમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મૃતક લખબીર સિંહના અંતિમ સંસ્કાર સંબંધીઓની હાજરીમાં કરવામાં આવ્યા હતા. લખબીરના અંતિમ સંસ્કાર દરમિયાન અરદાસ માટે ત્યાં કોઈ ગ્રંથી હાજર ન હતોમ કે ન તો તેના ગામ ચીમા કલાં થી કોઈએ અંતિમવિધિમાં હાજરી આપી. આ બર્બર હત્યાકાંડને અંજામ આપવા બદલ સરબજીત સિંહની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ , સરબજીતને સોનીપત જિલ્લાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો. 

પોલીસે 4 નિહંગોની કરી ધરપકડ 
 
દિલ્હીના નિહંગ નારાયણ સિંહે આત્મસમર્પણ બાદ દેવીદાસ પૂરા ગુરુદ્વારા બહારથી અટકાયત કરાઇ હતી. પોલીઓસે કહ્યું હતું કે નારાયણ સિંહનું અમૃતસર પહોંચવાના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ગુરુદ્વારા બહાર નિકલતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે સૌથી પહેલા આત્મસમર્પણ કરનાર સરબજીતને સિંધુ બોર્ડરના ડેરામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
 
નિહંગ નારાયણ સિંહે કબૂલાત કરી કે તેણે મૃત્યુ પામેલા લખબીર સિંહનો પગ કાપી નાખ્યો હતો. નિહંગ જણાવ્યું કે તે દશેરાની ઉજવણી માટે અમૃતસરથી નીકળ્યો હતો. શુક્રવારે સવારે 5 વાગ્યાની આસપાસ સિંઘુ બોર્ડર પર પહોંચ્યા ત્યાં ભેગા થયેલા લોકોએ તેની કારને હાથ મારવાનું શરૂ કર્યું. બહાર આવતાં લોકોએ કહ્યું કે લખબીરે ગુરુ ગ્રંથ સાહિબનું અપમાન કર્યું છે. તેણે ત્યાં હાજર લોકોને પૂછ્યું લખબીર હજુ જીવિત છે કે કેમ. જ્યારે તેણે લખબીરને જોયો ત્યારે તેનો હાથ કાપી નાખવામાં આવ્યો હતો. આ પછી નારાયણે તલવારથી લખબીરનો પગ કાપી નાખ્યો. અડધા કલાક પછી તેમનું મોત થયું હતું.
 
અમૃતસરમાં અટકાયત કરાયેલા નિહંગ નારાયણ સિંહે કહ્યું, 'લખબીરસિંહે ગુરુનું અપમાન કર્યું હતું, તેથી તેણે જે કર્યું તે યોગ્ય કર્યું. જો સરબજીત સિંહ દોષિત છે, તો હું પણ દોષી છું. મેં સરબજીત સિંહ સાથે પણ એટલો જ સહકાર આપ્યો છે. 2014 થી ગુરુઓનું અપમાન થઈ રહ્યું છે. ગુરુ ગ્રંથ સાહિબના અપમાનની કેટલી ઘટનાઓ પ્રકાશમાં આવી, પરંતુ પોલીસે સહકાર આપ્યો નહીં. એક પણ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટનામાં આરોપીને જાહેરમાં પકડી લેવામાં આવ્યો હતો અને તે સમયે જે યોગ્ય લાગ્યું, નિહંગ ગ્રુપે એ જ કર્યું. આમાં હું પણ એટલો જ દોષી છું, જેટલો સરબજીત.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments