Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓમાનમાં ગોળીબારમાં એક ભારતીય સહિત પાંચ વ્યક્તિનાં મોત

Webdunia
બુધવાર, 17 જુલાઈ 2024 (10:01 IST)
ઓમાનના પાટનગર મસ્કત શહેરમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય સહિત પાંચ વ્યક્તિનાં મોત થયાં છે. આ ઉપરાંત આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં એક ભારતીય સામેલ છે.
 
ઓમાનસ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, “15 જૂલાઈનાં રોજ મસ્કત શહેરમાં ઘટેલી ગોળીબારની ઘટના પછી ઓમાન સલ્તનતના વિદેશ મંત્રાલયે સૂચના આપી છે કે એક ભારતીય નાગરિકનું મોત થયું છે અને અન્ય એક ભારતીય નાગરિકને ઇજાઓ થઈ છે. દૂતવાસ પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને પરિવારોને મદદ કરવાના બધા જ પ્રયત્નો કરશે.”
 
મસ્કતની શિયા મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં ચાર પાકિસ્તાની નાગરિકોનાં પણ મોત થયાં હતાં.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ઇમામ અલી મસ્જિદ પાસે થયેલા આ હુમલાને “કાયરતાપૂર્ણ આતંકવાદી” હુમલો ગણાવીને તેની નિંદા કરી છે.
 
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં લગભગ 30 પાકિસ્તાની નાગરિકો ઇજાગ્રસ્ત થયા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હુમલાખોરોને મારી નાખવામાં આવ્યા છે. મસ્જિદમાં શ્રદ્ધાળુઓની આ ભીડ શિયા મુસ્લિમોના પવિત્ર દિવસ અશૂરાની પહેલાંની સાંજે એકઠી થઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

Atishi- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલે નામનો પ્રસ્તાવ મૂક્યો

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments