Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવસેનાએ કર્યો બચાવ, તો ગાયકવાડે હવે ટ્રેનમાં કરી આવી હરકત

Webdunia
શનિવાર, 25 માર્ચ 2017 (10:29 IST)
એયર ઈંડિયાના ડ્યૂટી મેનેજર સાથે ગેરવર્તણૂંકના આરોપી શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડના પંખ કતરવામાં આવી રહ્યા છે. આખા દેશમાં તેમની આલોચના થઈ રહી છે. પણ પાર્ટી પોતાના સાંસદના પક્ષમાં ઉભી જોવા મળી રહી છે. 
 
શિવસેના નેતા સંજય રાઉતનુ કહેવુ છે કે આમ આદમી હોય કે મંત્રી ગુસ્સો તો કોઈને પણ આવી શકે છે.  સાંસદથી ભૂલ થઈ થઈ છે પણ એ માટે કોણ જવાબદાર છે એ જોવુ જોઈએ. 
 
રાઉતે એ પણ કહ્યુ કે કેવુ રહે જો આમ જનતા જ એયર ઈંડિયાને બ્લેક લિસ્ટ કરી દે. ઉલ્લેખનીય છે કે ગાયકવાડની હરકત પછી અનેક એયરલાઈંસે તેમને ટિકિટ આપવાની ના પાડી દીધી હતી. એયર ઈંડિયાએ તો તેમને બ્લેક લિસ્ટ જ કરી દીધો છે.  
 
 
દેશની સરકારી એયરલાઈંસ એયર ઈંડિયા સહિત છ શેડ્યૂલ્ડ કમર્શિયલ એયરલાઈનો તરફથી ટિકિટ ન મળ્યા પછી ગાયકવાડ ટ્રેન દ્વારા મુંબઈ રવાના થયા. આ દરમિયાન ટ્રેનમાં પણ તેમણે મીડિયા સાથે અભદ્ર વ્યવ્હાર કર્યો. મીડિયાએ જ્યારે પૂછ્યુ તો પહેલા તો તેઓ શાંત રહ્યા પણ પછી ભડકી ઉઠ્યા અને પત્રકારોને ધક્કા મારીને બહાર જવાનુ કહ્યુ. 
 
 
ઉદ્ધવ સાહેબ જોશે મામલો - ગાયકવાડ 
 
આ પહેલા ગાયકવાડે મહારાષ્ટ્ર સદનમાં મીડિયાને કહ્યુ, 'માફી નહી માંગુ. શાનો પછતાવો ? ભૂલ તેમની છે. એ આવીને પહેલા માફી માંગે.  પછી જોઈશુ.  કેસની શુ વાત છે ? જામીન લઈ લઈશ હું. અમારા વકીલ જોશે.  અમારા ઉદ્ધવ સાહેબ જોશે.  મે લોકસભા અધ્યક્ષ અને એવિએશન મિનિસ્ટરને લખ્યુ છે. 
 
શુ છે સમગ્ર મામલો ?
 
શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પર એયર ઈંડિયાના 60 વર્ષના ડ્યૂટી મેનેજર સાથે મારપીટનો આરોપ છે. હુમલામાં મેનેજરના ચશ્મા તૂટી ગયા અને કપડા ફાટી ગયા. 
 
ઘટના ગુરૂવાર સવારની છે. એયર ઈંડિયા મુજબ ગાયકવાડે બિઝનેસ ક્લાસની ઓપન ટિકિટ બુક કરી હતી. તેથી તે કોઈપણ દિવસે ટ્રાવેલ કરી શકતા હતા. પણ તેઓ ગુરૂવારે સવારે 7.35 વાગ્યે પુણે-દિલ્હી ફ્લાઈટ (એઆઈ 852)માં બેસવા માટે પહોંચી ગયા. જ્યારે કે આ ફ્લાઈટ સંપૂર્ણ રીતે ઈકોનોમી ક્લાસની છે. 
 
સાંસદે મીડિયા સામે ખુદ હુમલાની વાત માની. કહ્યુ, મે એક મેનેજરને 25 વાર સેંડલથી માર્યુ.  તેણે મારી સાથે ગૈરવર્તણૂંક કરી હતી. હુ તો તેને ઊંચકીને બહાર ફેંકવાનો હતો. 

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments