Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝારખંડ - દેવઘરમાં તૂટ્યુ રોપ-વેનુ દોરડુ, એક મહિલાનુ મોત અને 12 ઘાયલ, 50થી વધુ લોકો ફંસાયા બચાવ કાર્ય ચાલુ

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (12:31 IST)
ઝારખંડના દેવઘરમાં સ્થિત ત્રિકુટ પર્વત પર રવિવારે એક મોટી દુર્ઘટના થઈ જ્યારે રોપ-વેનો રસ અચાનક તૂટી ગયો. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 12 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ બચાવ કાર્ય કરી રહી છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે અને હજુ પણ ઘણા લોકો લાપતા છે.
<

Two Mi-17 helicopters are involved in rescue operations in Deoghar district of Jharkhand where several people are stuck in a ropeway trolley due to a mishap. The operations are still on: Indian Air Force officials

— ANI (@ANI) April 11, 2022 >
ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર  ત્રિકુટી પર્વત પહોંચી ગયું છે. આ સાથે ITBP, ભારતીય સેના અને NDRFની ટીમ ત્રિકૂટ પર્વત પર પહોંચી ગઈ છે. ફસાયેલા તમામ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે ટ્રોલીમાંથી નીચે લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
<

देवघर में हुए त्रिकूट रोप वे दुर्घटना में घायल परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ । मुख्यसचिव झारखंड सरकार व केन्द्रीय गृह मंत्री @narendramodi @AmitShah @DCDeoghar @NDRFHQ

1/2 pic.twitter.com/uAvkQomBoD

— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 10, 2022 >
 
ડેપ્યુટી કમિશનરે લોકોને અફવા ન ફેલાવાની અપીલ કરતા કહ્યું કે, સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કેટલાક લોકો હજુ પણ રોપ-વેમાં કેબલ કારોમાં ફસાયેલા છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છે. તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.
 
બીજી તરફ દેવઘરમાં થયેલા ત્રિકૂટ રોપ-વે દુર્ઘટના પર સાંસદ નિશિકાંત ડૂબેની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, તેઓ ત્રિકૂટ રોપ-વે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે
 
દેવઘરના ત્રિકૂટ રોપ-વે પર રવિવારથી ફસાયેલા લોકોને કાઢવા માટે એનડીઆરએફની ટીમ ઉપરાંત સેનાના જવાનો પણ પહોંચ્યા છે. હેલિકોપ્ટર દ્વારા મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

સંબંધિત સમાચાર

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments