Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 કલાકમાં નાગણીએ લીધો બદલો- બાપે નાગને માર્યો... નાગણીએ પુત્રને દંશ માર્યો

Webdunia
રવિવાર, 10 એપ્રિલ 2022 (10:54 IST)
સીહોરમાં નાગને માર્યા બાદ 15 કલાક પછી નાગણીએ 12 વર્ષના બાળકને દંશ માર્યો; તાંત્રિક વિધિના ચક્કરમાં મળ્યું મોત
 
સીહોરમાં એક વ્યક્તિએ નાગને કચડીને મારી નાખ્યો. જેના 15 કલાક પછી નાગણીએ તે વ્યક્તિના 12 વર્ષના પુત્રને દંશ મારી દીધો. જેમાં તેનું મોત થઈ ગયું. આ મામલો મધ્યપ્રદેશના બુદની તાલુકાના જોશીપુર ગામનો છે. વ્યવસાયે મજૂર કિશોરી લાલના ઘરે નવરાત્રિના જ્વારા મૂકવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે સવારે 9 વાગ્યે ઘરની પાસે એક નાગ જોવા મળ્યો, જેને કિશોરી લાલે મારીને જંગલમાં ફેંકી દીધો. રાત્રે 2 વાગ્યે નાગણીએ ઘરમાં સુઈ રહેલા તેના પુત્ર રોહિતને દંશ મારી દીધો.
 
રોહિતે બૂમો પાડતા પરિવારના લોકો જાગી ગયા. પરિવારના લોકોએ પહેલા તેની સારવાર કરાવવાને બદલે તાંત્રિક વિધિનો સહારો લીધો. જે બાદ પણ સ્થિતિ ન સુધરી તો બાળકને નર્મદાપુરમ (હોશંગાબાદ)ની હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોકટરે તેને ભોપાલ રેફર કરી દીધો, પરંતુ પરિવારના લોકો રોહિતને ફરી પોતાના ગામ લાવ્યા. તેમને ગામમાં ફરી તાંત્રિક વિધિનો સહારો લીધો. સવારે લગભગ 5 વાગ્યે રોહિતનું મોત થઈ ગયું.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments