Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાર રેસર અશ્વિન અને તેમની પત્નીનું કાર દુર્ઘટનામાં બળીને મોત

કાર રેસર અશ્વિન અને તેમની પત્નીનું કાર દુર્ઘટનામાં બળીને મોત
Webdunia
શનિવાર, 18 માર્ચ 2017 (11:14 IST)
કાર રેસર અશ્વિન સુંદર અને તેમની પત્નીની કાર દુર્ઘટનામાં મોત થઈ ગયુ. તેમની બીએમડબલ્યૂ કાર ચેન્નઈના સૈથમ રોડ પર ઝાડ સાથે અથડાઈ ગઈ.  પોલીસે કહ્યુ કે સુંદર અને તેમની પત્ની કારમાં ફસાઈ ગયા અને કારના દરવાજા ખુલ્યા નહી. કાર દિવાલ અને ઝાડ વચ્ચે ફસાય ગઈ.  તેનાથી કારમાં આગ લાગી ગઈ અને દંપત્તીની બળવાથી મોત થઈ ગયુ. કાર સુંદર ચલાવી રહ્યા હતા. 
 
નિવેદતા એક ડોક્ટર હતી અને એક સરકારી હોસ્પિટલમાં કામ કરી રહી હતી.  નિકટથી પસાર થઈ ગયેલા લોકોએ સળગતી કાર જોઈને પોલીસને સૂચના આપી. પોલીસ સાથે જ ફાયર બિગ્રેડની ટીમ પણ તરત જ ઘટના સ્થળ પર પહોંચી. ટીમને આગ પર કાબૂ મેળવવા માટે લગભગ અડધો કલાકનો સમય લાગી ગયો. 
 
મામલાની તપાસ કરી રહેલ ટીમની ઈસ્પેક્ટર વિનીતા અને તેમની ટીમે દરવાજો તોડીને દંપતીની લાશ બહાર કાઢી. શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી રૉયલપેથ હોસ્પિટલમા મોકલવામાં આવ્યા.  લાશ એટલી ખરાબ રીતે બળી ગઈ હતી કે શરૂઆતમાં પોલીસ તેમને ઓળખી ન શકી. પછી કારના રજીસ્ટ્રેશન નંબરથી તેમની ઓળખ કરવામાં આવી. તપાસમાં જાણ થઈ કે અશ્વિન અને તેમની પત્ની અલકાપક્કમ વિસ્તારમાં રહેતા હતા.  તેઓ એમઆરસી નગરમાં પોતાના મિત્રને મળવા આવ્યા હતા. ત્યાથી પોતાના ઘરે પરત ફરતી વખતે આ દુર્ઘટના થઈ. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments