Dharma Sangrah

PM નરેન્દ્ર મોદી આજે પ્રવાસી ભારતીય દિવસનું સંમેલનનું ઔપચારિક કરશે ઉદઘાટન

Webdunia
સોમવાર, 9 જાન્યુઆરી 2023 (11:45 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રવાસી ભારતીય દિવસનું સંમેલનનું ઔપચારિક ઉદઘાટન કરશે. એક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, આજે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે તેઓ ઈન્દોર જવા ઉત્સાહી છે. તેમણે જણાવ્યું કે, ભારતીય પ્રવાસીઓ સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાની આ એક શ્રેષ્ઠ તક છે, જેણે વિશ્વ કક્ષાએ તેની આગવી ઓળખ ઉભી કરીછે.
 
ત્રણ દિવસીય પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો ગઈકાલે ઈન્દોર ખાતે આરંભ થયો છે. પ્રથમ દિવસે પ્રવાસી ભારતીય યુવા સંમેલનનું ઉદઘાટન કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે કર્યું હતું.ગઈકાલે એક અગત્યના ચર્ચા સત્ર કે જેનો વિષય હતો, નવીન શોધો તેમજ નવી તકનીકોમાં પ્રવાસી યુવાનોની ભૂમિકા પર ચર્ચા યોજાઈ હતી. 
 
ચર્ચા સત્રમાં અધ્યક્ષ પદેથી સંબોધન કરતાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, યુવા પ્રવાસી સંમેલન એ માત્ર પ્રવાસી યુવાનોને તેમના મૂળ સાથે જોડવાનો પ્રયત્ન નથી, પણ નવીન શક્યતાઓ શોધવાનો પણ પ્રયાસ છે. ભારતની યુવા શક્તિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય યુવાનોનો અદમ્ય જુસ્સો અને સાહસ વિશ્વના ગમે તે ભાગમાં તેઓ ભારતને ગૌરવ અપાવશે.
 
દરમ્યાન વિદશમંત્રી ડૉ.એસ.જયશંકરે મલેશિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય પ્રવાસીઓ બંને દેશો વચ્ચે ખૂબ જ મજબૂત સેતુરૂપ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

જેસલમેર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

હેમા માલિનીએ ધર્મેન્દ્રના નિધનના 3 દિવસ પછી કરી પહેલી પોસ્ટ, પુત્રીઓ સાથે પિતાની ફોટો, કહ્યુ - ખાલીપો.. જીવનભર

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

આગળનો લેખ
Show comments