Webdunia - Bharat's app for daily news and videos

Install App

46 Years of Emergency : પીએમ મોદીએ કહ્યુ - ક્યારેય નથી ભૂલી શકાતો કટોકટીનો એ સમય

Webdunia
શુક્રવાર, 25 જૂન 2021 (13:09 IST)
ભારતના ઈતિહાસમાં આજનો દિવસ 25 જૂન 1975માં દેશભરમાં કટોકટી લાગુ કરવાનુ એલાન કરવામાં આવ્યુ હતુ. તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીની ભલામણ પર આ આદેશ આપવામાં આવ્યો હતો. આજે કટોકટીની 46મી વરસી છે.  આ દિવસને યાદ કરતા તમામ રાજનીતિક નેતાઓએ ટ્વીટ કર્યુ છે. 
<

The #DarkDaysOfEmergency can never be forgotten. The period from 1975 to 1977 witnessed a systematic destruction of institutions.

Let us pledge to do everything possible to strengthen India’s democratic spirit, and live up to the values enshrined in our Constitution.

— Narendra Modi (@narendramodi) June 25, 2021 >
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આ દિવસને યાદ કરતા કહ્યુ, કટોકટીના કાળા દિવસને ક્યારેય ભૂલી નથી શકાતો. 1975થી  1977ની વચ્ચે દેશની સંસ્થાઓનો વિનાશ જોવા મળ્યો છે. તેમણે આગળ કહ્યુ કે આવો આપણે ભારતની લોકતાંત્રિક ભાવનાને મજબૂત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવાનો સંકલ્પ લઈએ અને આપણા સંવિઘાનના ચોક્કસ મૂલ્યો પર ખરા ઉતરીએ 
<

1975 में आज ही के दिन कांग्रेस ने सत्ता के स्वार्थ व अंहकार में देश पर आपातकाल थोपकर विश्व के सबसे बड़े लोकतंत्र की हत्या कर दी। असंख्य सत्याग्रहियों को रातों रात जेल की कालकोठरी में कैदकर प्रेस पर ताले जड़ दिए। नागरिकों के मौलिक अधिकार छीनकर संसद व न्यायालय को मूकदर्शक बना दिया। pic.twitter.com/SvFmEXKYcn

— Amit Shah (@AmitShah) June 25, 2021 >\
 
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ દિવસને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે એક પરિવાર વિરુદ્ધ ઉઠનારા અવાજોને દબાવવા માટે દેશમાં કટોકટી લાદવામાં આવી હતી અને તેને સ્વતંત્ર ભારતના ઇતિહાસનુ કાળુ પ્રકરણ ગણાવ્યુ. 
 
તેમણે આગળ લખ્યું છે કે, '1975 માં આ દિવસે કોંગ્રેસે સત્તાના સ્વાર્થ અને ઘમંડમાં દેશ પર કટોકટી લાદીને વિશ્વની સૌથી મોટી લોકશાહીની હત્યા કરી નાખી. અસંખ્ય સત્યાગ્રહીઓને રાતોરાત જેલની કોઠરીમાં કેદ કરવામાં આવ્યા અને પ્રેસને તાળાબંધી કરી હતી. નાગરિકોના મૂળભૂત અધિકાર છીનવીને સંસદ અને કોર્ટને મૌન દર્શક બનાવ્યા.
 
 
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે કટોકટી દરમિયાન લોકશાહીની રક્ષા માટે દેશભરમાં આંદોલન કરવામાં આવ્યુ અને તેને બચાવવા માટે લોકોએ અનેક યાતાનાઓ સહન કરી.  તેમના ત્યાગ, સાહસ અને સંઘર્ષને આપણે આજે પણ યાદ કરીએ છીએ અને પ્રેરણા મેળવીએ છીએ. તેમણે કહ્યું કે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં કટોકટી એક અંધકાર પ્રકરણ તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે દેશના તે યુગને ભૂલી શકાતો નથી અને તે આપણા બધાની યાદોમાં તે આજે પણ તાજો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments