Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદી અમેરિકાના બે દિવસના પ્રવાસે પહોંચ્યા, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે

PM મોદી અમેરિકાના બે દિવસના પ્રવાસે પહોંચ્યા  રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે
Webdunia
ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2025 (18:33 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે છે અને ભારતીય સમય પ્રમાણે ગુરુવારે સવારે અમેરિકાની રાજધાની પહોંચ્યા છે.
 
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે, "થોડા સમય પહેલાં હું વૉશિંગ્ટન ડીસી પહોંચ્યો છું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને હું ખુશ છું."
 
તેમણે લખ્યું છે, "ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને લઈને હું ઉત્સાહિત છું. બંને દેશો પોતાના લોકો અને પોતાની ભૂમિના વધુ સારા ભવિષ્ય માટે મળીને કામ કરતા રહેશે."
 
ટ્રમ્પની મુલાકાત અગાઉ તેમણે અમેરિકન જાસૂસી વિભાગના વડા તુલસી ગબાર્ડ સાથે મુલાકાત કરી હતી. બુધવારે તુલસી ગબાર્ડને અમેરિકાના ડાયરેક્ટર ઑફ નૅશનલ ઇન્ટેલિજન્સ બનાવવા અંગે પુષ્ટિ કરવામાં આવી હતી.
 
ટ્રમ્પ અને મોદીની મુલાકાતમાં વ્યાપાર, રોકાણ, ઊર્જા, સંરક્ષણ, ટેકનોલૉજી અને માઇગ્રેશનના મુદ્દે વાતચીત થવાની શક્યતા છે.
 
આ ઉપરાંત ટેરિફના મામલે પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ શકે છે.
 
ટ્રમ્પે રાષ્ટ્રપતિપદ ધારણ કર્યાના થોડા જ સપ્તાહોમાં ટોચના નેતાઓની મેજબાની કરી છે જેમાં વડા પ્રધાન મોદી ચોથા નેતા છે.
 
બીજી વખત સત્તા પર આવ્યા પછી ટ્રમ્પે એક જ મહિનામાં ઇઝરાયલ અને જાપાનના વડા પ્રધાનો તથા જૉર્ડનના કિંગ સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments