Webdunia - Bharat's app for daily news and videos

Install App

Parag Agrawal : જૅક ડોર્સીએ આ ભારતીયને ટ્વિટરના CEO કેમ બનાવ્યા?

Webdunia
મંગળવાર, 30 નવેમ્બર 2021 (15:43 IST)
ટ્વિટરને નવા સીઈઓ મળ્યા છે, પરાગ અગ્રવાલની આ પદ માટે પસંદગી કરવામાં આવી છે. તેમણે આઈઆઈટી બૉમ્બેથી ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે.
 
ટ્વિટરના સહ-સંસ્થાપક અને અત્યાર સુધી સીઈઓ રહેલા જૅક ડોર્સીનું સ્થાન પરાગ અગ્રવાલ લેશે. ડોર્સીએ સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે, તેમણે ટ્વિટર પર પરાગ અગ્રવાલની પસંદગી કરાઈ હોવાની માહિતી આપી હતી.
 
તેમણે એમ પણ કહ્યું હતું કે પરાગ અગ્રવાલની કઈ વિશેષતાઓને કારણે તેમને સીઈઓ બનાવવામાં આવ્યા છે.
 
ડોર્સીએ ટ્વિટર પર પોસ્ટ કરેલા પત્રમાં લખ્યું હતું કે, "16 વર્ષ સુધી કંપનીમાં સહ-સ્થાપક, સીઈઓ, કાર્યકારી ચૅરમૅન જેવાં અનેક પદો સંભાળ્યાં બાદ મેં નક્કી કર્યું છે કે, હવે જવાનો સમય આવી ગયો છે. પણ શા માટે?"
 
પદ છોડવા પાછળનાં કારણો જણાવતાં તેઓ આગળ લખે છે કે, "પ્રથમ એ કે પરાગ અગ્રવાલ હવે સીઈઓ બની રહ્યા છે. અમારી કંપનીના બોર્ડે તમામ વિકલ્પોની ચકાસણી કર્યા બાદ સર્વસંમતિથી તેમની પસંદગી કરી છે. તેઓ કંપનીની જરૂરિયાતોને સારી રીતે સમજે છે."
 
ડોર્સીએ લખે છે કે કંપનીના તમામ મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં પરાગનો ફાળો રહ્યો છે. તેઓ ઘણા ઉત્સાહી, શોધખોળ કરનારા, તાર્કિક, રચનાત્મક, મહત્ત્વાકાંક્ષી, જાગરૂક અને વિનમ્ર છે.
 
તેમણે લખ્યું કે, "તેઓ દિલ અને આત્માથી ટીમનું નેતૃત્વ કરે છે. તે એવી વ્યક્તિ છે કે જેમની પાસેથી હું રોજ કંઈક નવું શીખું છું. એક સીઈઓના રૂપે હું તેમની પર ખૂબ ભરોસો કરુ છું."
 
ડોર્સી અનુસાર, "રાજીનામું આપવા પાછળનું બીજું કારણ એ છે કે બ્રૅટ ટેલર કંપનીના બોર્ડના ડિરેક્ટર બનવા માટે તૈયાર થયા છે."
 
તેઓ આગળ લખે છે કે, "મને તેમના નેતૃત્વ પર ખૂબ ભરોસો છે, તમે નહીં જાણતા હોવ કે તેમને આ કામ સોંપતા મને કેટલી ખુશી થઈ રહી છે."
 
પરાગ અગ્રવાલે શું કહ્યું?
પરાગ અગ્રવાલે પણ જૅક ડોર્સી અને અન્ય સાથીઓનો આભાર માન્યો.
 
તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા પત્રમાં લખ્યું કે, "આભાર જૅક, તમારા તરફથી સતત મળતા માર્ગદર્શન અને મિત્રતાથી હું પોતાને સન્માનિત અનુભવું છું."
 
"તમે મારા પર ભરોસો કર્યો તે માટે પણ આભારી છું. હું સમગ્ર ટીમનો આભારી છું કે તેમણે ભરોસો કરવાની પ્રેરણા આપી છે."
 
તેઓ લખે છે કે, "હું આ કંપની સાથે 10 વર્ષ પહેલાં જોડાયો હતો, જ્યારે તેમાં એક હજારથી પણ ઓછા કર્મચારીઓ હતા."
 
"ભલે આ એક દાયકા પહેલાંની વાત હોય, પણ મારા માટે તો ગઈકાલ જેવી જ વાત છે. આ સમય દરમિયાન મેં ઘણા ઉતાર-ચઢાવ, મુશ્કેલીઓ, જીત તેમજ ભૂલો જોઈ છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments