Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pandit Birju Maharaj - બિરજુ મહારાજના મૃત્યુની માહિતી તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (10:37 IST)
પ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજનું રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા.
 
પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા બિરજુ મહારાજના મૃત્યુની માહિતી તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા આપી હતી.
 
તેમણે લખ્યું, "અત્યંત દુખ સાથે અમને જણાવવું પડે છે કે આજે અમે અમારા પરિવારના અમારા સૌથી પ્રિય સભ્ય પંડિત બિરજુજી મહારાજને ગુમાવ્યા છે. તેમણે 17 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ."
 
બિરજુ મહારાજના નિધન પર શોક વ્યક્ત કરતા ગાયક અદનાન સામીએ ટ્વીટ કર્યું.
 
તેમણે લખ્યું, "મહાન કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજજીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. આપણે કલા ક્ષેત્રે એક અદ્વિતીય સંસ્થા ગુમાવી છે. તેમણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે. તેમના આત્માને શાંતિ મળે.''
 
લખનૌના કથક ઘરાનામાં જન્મેલા બિરજુ મહારાજના પિતા અચ્છન મહારાજ અને કાકા શંભુ મહારાજનું નામ દેશના પ્રખ્યાત કલાકારોમાં સામેલ હતું.
 
તેમનું પ્રારંભિક નામ બ્રિજમોહન મિશ્રા હતું, નવ વર્ષની વયે તેમના પિતાના અવસાન પછી પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. ત્યારબાદ તેમણે કાકા પાસેથી કથકની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.
 
થોડા સમય પછી કપિલા વાત્સ્યાયન તેમને દિલ્હી લઈ આવ્યા. તેમણે સંગીત ભારતી (દિલ્હી)માં નાના બાળકોને કથક શીખવવાનું શરૂ કર્યું અને પછી કથક કેન્દ્ર (દિલ્હી)નો હવાલો સંભાળ્યો.
 
તેમણે કથક સાથે ઘણા પ્રયોગો કર્યા અને ફિલ્મો માટે કોરિયોગ્રાફી પણ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments