Webdunia - Bharat's app for daily news and videos

Install App

UPના રાયબરેલીમાં NTPC બૉયલર વિસ્ફોટ, 22 થી વધુના મોત 100 ગંભીર રૂપે દઝાયા

Webdunia
ગુરુવાર, 2 નવેમ્બર 2017 (10:09 IST)
ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના ઉંચાહારમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 22થી વધુ મજૂરોના મોત થયા છે. દુર્ઘટનામાં 100થી વધુ મજૂર દઝાયા છે. 
 
માહિતી માટે બતાવી દઈએ કે જીલ્લા સરકારે બુધવારે મોડી રાત્રે 20 મોતની ચોખવટ કરી. મરનારાઓની સંખ્યા વધવાની શંકા બતાવાય જઈ રહી છે. અધિકારીઓ મુજબ ઘાયલોને જીલ્લા હોસ્પિટલની સાથે ઈલાહાબાદના હોસ્પિટલ અને લખનૌના ટ્રોમા સેંટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાથી અનેકની હાલત નાજુક છે. 
 
આ રીતે થઈ દુર્ઘટના 
 
બૉયલરની ચિમની ડક્ટમાં રાખ એકત્ર થવાને કારણે ગેસ નીકળી રહ્યો નહોતો.. આ કારણે સ્ટીમ પાઈપલાઈન અચાનક ફાટવાથી 250 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ રાખ ચારેબાજુ ફેલાય ગઈ.. 
 
એ સમય સંયંત્રમાં લગભગ 150 મજૂરો કામ કરી રહ્યા હતા. જ્યા આ દુર્ઘટના થઈ ત્યા 500 મેગાવોટ વીજળીનુ ઉત્પાદન થાય છે. જે યૂનિટમાં લગભગ 90 ફૂટની ઊંચાઈ પર છે. 
 
અહી મોટી સંખ્યામાં શ્રમિક કામ કરી રહ્યા હતા. ખૂબ મોટા વ્યાસવાળી પાઈપના ફાટવાથી ઘણા પ્રમાણમાં આગની જેમ તપી રહેલી રાખનો મલબો બહાર આવ્યો અને તમામ લોકો ગરમ રાખોડીમાં દબાય ગયા. 
 
યૂપીના સીએમ યોગી આદિત્યનાથે મૃતકો પ્રતિ શોક સંવેદના જાહેર કરતા તેમના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જ્યારે ગંભીર રૂપથી ઘાયલ લોકોને 50 હજારનું વળતર આપવાની જાહેરાત કરી છે. તમામ ઘાયલોની સારવાર સરકાર પોતાના ખર્ચે ઉઠાવશે.
 
રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરીને રાહત અને બચાવના તમામ ઉપાય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઘટના સાંજે લગભગ 4 વાગે બની હતી. ઘટનામાં ઘણા ગંભીર રીતે દાઝેલા મજૂરોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એનટીપીસીમાં સીઆરપીએફની ઘણી કંપનીઓ હાજર છે. અને મીડિયા સહિત તમામ બહારી લોકોને પ્રવેશ પર પૂરી રીતે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારો અનુસાર આ યૂનિટમાં લગભગ 1500 મજૂરો કામ કરે છે.

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments