Webdunia - Bharat's app for daily news and videos

Install App

Big Breaking News - બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાએ રાજકીય ભૂકંપ સર્જયો

Webdunia
બુધવાર, 26 જુલાઈ 2017 (19:45 IST)
મહાગઠબંધનમાં ચાલી રહેલી અટકળો વચ્ચે નીતિશ કુમારના રાજીનામાએ રાજકીય ભૂકંપ સર્જયો છે. આમ, આ રાજીનામાથી જેડીયુ અને આરજેડીનું મહાગઠબંધન તૂટ્યુ હોવાની ચર્ચા ચારેકોર ચાલી છે. તો બીજી તરફ તેજસ્વીના રાજીનામાને લઈને મહાગઠબંધનને લઈને ચાલી રહેલી રાજનીતિક ઈસ્યૂ ખુલીને સામે આવ્યો છે.બિહારમાં રાજનૈતિક હલચલની વચ્ચે બિહારના સીએમ નીતિશ કુમારે આજે રાજ્યપાલ કેજરીનાથ ત્રિપાઠી સાથે મુલાકાત કરી હતી. સુત્રોના મતે આ મુલાકાતમાં નીતિશ કુમાર રાજ્યપાલને પોતાનું રાજીનામું આપી દીધું હતું. બીજેપી હવે નીતિશ કુમારને સરકાર બનાવવા માટે બહારથી સમર્થન આપી શકે છે.
 
આ પહેલા આરજેડીની બેઠક બાદ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, તેજસ્વી યાદવ રાજીનામુ નહિ આપે.
 
આ પહેલા આરજેડીની બેઠક બાદ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, તેજસ્વી યાદવ રાજીનામુ નહિ આપે. આજે જેડીયૂ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જાણકારોના મતે  બેઠકમાં નીતિશ કુમારે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. અને સાંજે નીતિશ કુમાર રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું આપ્યું હતું.
 
રાજીનામું આપ્યા પછી નીતિશ કુમારે કહ્યું કે, મેં મહામહિમ સાથે મુલાકાત કરીને રાજીનામું આપી દીધું છે. અમારાથી જેટલું થયું ત્યાં સુધી અમે ગઠબંધનનો ધર્મ નિભાવ્યો. મેં જનતાના હિતમાં કામ કર્યું. મેં સતત બિહાર માટે કામ કરવાની કોશિશ કરી. પરંતુ હાલનો જે માહોલ છે, તેમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે. અમે તેજસ્વી પાસે રાજીનામું માંગ્યું નથી, પરંતુ લાલૂ અને તેજસ્વીને એટલું જ કહ્યું છે કે તમારા ઉપર જે આરોપ લાગ્યો છે તેને સ્પષ્ટ કરે.
 
તમને જણાવી દઈએ કે બિહારમાં લાલૂ યાદવે ઘર પર સીબીઆઈની રેડ, રેલ્વે ટેંડર કૌભાંડમાં ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવનું નામ આવ્યા પછી નીતિશ કુમાર પર તેજસ્વી યાદવના રાજીનામા માટે દબાણ વધી રહ્યું હતું. આ આખો મામલો રાજનૈતિક રૂપ ધારણ કર્યા પછી નીતિશ કુમારે પોતાનું રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો.
 

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments